રાજકોટ શહેર અને જિલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે પોલીસ દ્રારા લોકદરબાર યોજવામાં આવી રહ્યો છે જેમાં અજરદારોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુકિત અપાવવા કાર્યવાહીના ભાગ પે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ વચ્ચે ગોંડલમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી સોની વેપારીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. બનાવની પ્રા વિગત મુજબ ગોંડલની રાધા પાર્ક સોસાયટીમાં રહેતા અને મોટી બજારમાં જરીયા એન્ડ સન્સ નામની જવેલર્સની દુકાન ધરાવતા નિલેશભાઈ શાંતિભાઈ જરીયા (ઉં.વ. ૫૨)એ ગઈકાલે સાડા નવેક વાગ્યે ઘરે હતા ત્યારે ફિનાઈલ પી લેતા પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ બી ડિવઝન પોલીસને જાણ કરવામાં આવી છે. હોસ્પિટલના બિછાનેથી નિલેશભાઈના કહેવા મુજબ છએક મહિના પહેલા ધંધામાં પૈસાની જરિયાત ઉભી થતા નીતિન, હિરેન અને કિશોર નામના ત્રણ શખ્સો પાસેથી ૯ લાખ ૫ ટકાના વ્યાજે લીધા હતા. ધંધામાં મંદી હોવાથી સમયસર વ્યાજ ચૂકવી ન શકતા ત્રણેય વ્યાજ સહિતં પૈસા માટે પઠાણી ઉઘરાણી કરતા હતા જે સહન ન થતા પગલું ભયુ હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ ગોંડલ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે