જામજોધપુર પોલીસ સુરતથી લઇ આવી : સધન પુછતાછ
જામજોધપુરના ચિટીંગના ગુનામા સાત વર્ષથી ભિક્ષુકનો વેશ પલ્ટો કરીને નાસતા ફરતા આરોપીને એક બાતમીના આધારે સુરતના કામરેજ ખાતેથી પોલીસે પકડી પાડી પુછપરછ હાથ ધરી હતી.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ ગુનામાં વોન્ટેડ રહેલા આરોપીઓને પકડી પાડવા માટે સુચના કરેલ હોય તેમજ જામનગર ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધીક્ષક મહેન્દ્રસિંહ સોલંકીએ આવા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે જરુરી માર્ગદર્શન આપતા જે આધારે જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઇ સી.એચ. પનારાના માર્ગદર્શન મુજબ જામજોધપુર સર્વેલન્સ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોતાના હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સને કામે લગાડેલ હતું.
દરમ્યાન પો.કોન્સ. દીલીપસિંહ જાડેજા તથા રુષીરાજસિંહ વાળાને સંયુકત રીતે બાતમી મળેલ કે જામજોધપુર પોલીસ સ્ટેશના ૪૦૬, ૪૨૦ મુજબના કામના નાસતા ફરતા આરોપી સંદીપ મુકેશ દેલવાડીયા (ઉ.વ.૩૬) રહે. કામરેજ સુરત મુળ રહે. શીણોજીયા ફળી ખેતલા શેરી, જામજોધપુર જેનું જેએમએફસી કોર્ટ જામજોધપુર દ્વારા સીઆરપીસી કલમ ૭૦ મુજબનું વોરન્ટ ઇસ્યુ કરેલ છે તે આરોપી હાલ કામરેજ સુરત ખાતે હોવાની હકીકત મળતા આ કામેના આરોપીને પકડી પાડેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી પોલીસ પકડથી બચવા માટે છેલ્લા ૭ વર્ષથી ભીક્ષુક વેશ ધારણ કરી સુરત ખાતે રહેતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech