નવસારીમાં તરતાં નહોતું આવડતું છતાંય નાહવા પડેલા 2 કિશોરનું ડૂબવાથી થયું મોત

  • February 26, 2023 05:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 


રાજ્યમાં ગરમીનો વધી રહી છે ત્યારે   લોકો મોટા ભાગે નદીઓ અને તળાવો પર ન્હાવા જતાં હોય છે. જ્યાં નદીમાં ન્હાવાથી ઘણી વાર મોટી દુર્ઘટના પણ થતી   હોય છે. ત્યારે વધું એક આવી ઘટના સામે આવી છે. નવસારીના ખેરગામના તળાવમાં ડૂબી જતાં બે બાળકોના કરૂણ મોત થયાં છે.

ખરેગામના બંધાળ ફળિયામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત થયાં છે. પાપ્ત માહિતી અનુસાર બંધાળ ફળિયા ખાતે આવેલ તળાવમાં બેન્ને બાળકો ન્હાવા ગયા હતાં. પોમપાળમાં રહેતા બંને બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. 12 વર્ષના દક્ષેશ પટેલ અને 13 વર્ષના પ્રગ્નેશ પટેલના ડૂબી જવાથી કરૂણ મોત થયાં છે. સ્થાનિક તરવૈયાઓ બંને બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા છે. પોલીસે બંને બાળકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે.

નવસારીમાં ડૂબી જતાં દક્ષેશ પટેલ અને પ્રગ્નેશ પટેલનું મોત થયું છે. બંન્નેના મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બાળકોના કરૂણ મોતથી સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application