ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: IAS આશિષ કુમારની નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે નિમણૂક
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: IAS આશિષ કુમારની નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે નિમણૂક
March 31, 2026 09:37 PM
ગાંધીનગર સચિવાલય ખાતેથી 30 માર્ચ 2026ના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ષ 2014ની બેચના આઈએએસ (IAS) અધિકારી શ્રી આશિષ કુમારને હવે નાયબ મુખ્યમંત્રીના સચિવ જેવી મહત્વની પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
શ્રી આશિષ કુમાર અત્યાર સુધી ગાંધીનગર ખાતે 'નિયામક, આદિજાતિ વિકાસ' (Director, Tribal Development) તરીકે સેવા આપી રહ્યા હતા. સામાન્ય વહીવટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. અંજુ શર્માના હસ્તાક્ષર સાથે બહાર પડેલા આદેશ પ્રમાણે શ્રી આશિષ કુમારને તાત્કાલિક અસરથી નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે ગાંધીનગર સચિવાલય ખાતે મૂકવામાં આવ્યા છે. નવી નિમણૂક છતાં તેઓ આગામી આદેશ સુધી નિયામક આદિજાતિ વિકાસ પદનો વધારાનો હવાલો (Additional Charge) પણ સંભાળતા રહેશે.