સત્યનારાયણ મંદિરની દિવાલનો મોટો હિસ્સો ત્રીજી વખત ધસી પડતાં ભારે દોડધામ

  • July 21, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંદિર પરિસરના પતરાના શેડના પાઇપ લટકતા રહી ગયા: જ્યારે નીચેની જમીન ધસી પડી

જામનગરમાં સત્યનારાયણ મંદિર પાસેની દિવાલ કે જે સતત ત્રીજી વખત ધસી પડવાની ઘટના બની હતી. આ વખતે પણ કોઈ પસાર થતું ન હોવાથી સદભાગ્ય જાનહાની ટળી છે. મંદિરના પતરા ના સેડ ના પોલ લટકતા રહી ગયા છે અને નીચેની જમીન ધસી પડી છે.
જામનગરના સત્ય નારાયણ મંદિર કે જેની દિવાલનો એક તરફનો હિસ્સો પખવાડિયા પહેલાં ભારે વરસાદના કારણે ધસી પડ્યો હતો. ત્યારબાદ ફરી વરસાદી વાતાવરણમાં સપ્તાહ પહેલાં દિવાલનો અન્યા હિસ્સો ધસી પડ્યો હતો. જેની સમારકામની પ્રક્રિયા ચાલી રહી છે, દરમિયાન આજે બપોરે ત્રીજી વખત દીવાલ ઘસી પડવાની ઘટના બની હતી અને મંદિર પરિસર સાથે જોડાયેલો દીવાલનો મોટો હિસ્સો જમીન દોસ્ત થઈ ગયો હતો. મંદિરની બહારના ભાગમાં પતરાનો મોટો શેડ બનાવેલો છે જે શેડના લોખંડના પીલર લટકતા રહી ગયા છે અને તેની નીચેની જમીન ધસી પડી છે જેથી ભારે નુકશાની થઈ છે. જામનગર મહાનગરપાલિકાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઈ કાટમાળ વગેરે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. વધુ નુકસાની ન થાય તેને ધ્યાનમાં રાખીને સત્યનારાયણ મંદિરના દિવાલ તરફના ભાગમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application