જામનગરના પ્રવેશદ્વાર જેવા મનાતા ધુંવાવ ગામ પાસેની ગોલાઇ જેનો વાહન ચાલકો મહત્તમ ઉપયોગ કરે છે, એ ગોળાઇ જોખમી વળાંકના કારણે અકસ્માત ઝોન જેવી બનતી જાય છે, આજે જ એક બાઇક ચાલકને કારે ઠોકર મારી છે, એક મોત થયું છે, જેનો અહેવાલ આજના અખબારમાં સામેલ છે, મુદાની વાત એ છે કે, જે પુલ બનાવવા માટે આ કામચલાઉ રસ્તો કાઢવામાં આવ્યો હતો, તેની હવે જરૂરીયાત રહી નથી, ધુંવાવનો પુલ બની ગયો છે.

ખુલી ગયો છે, છતાં વાહન ચાલકો જોખમી ગોલાઇ એટલા માટે પસંદ કરે છે, કારણ કે પુલ પછી ધુંવાવ ગામનો જે રસ્તો છે તેની અત્યંત બિસ્માર દશા છે, એ કારણે જ વાહનચાલકો અંદરથી પસાર થતાં નથી, તંત્રએ તાત્કાલીક ધુંવાવનો આ અંદરનો માર્ગ બનાવવો જોઇએ અને હવે ગોલાઇની જરૂરીયાત નથી એટલે ત્યાંથી વાહનો પસાર ન થાય તેના પગલા લેવા જોઇએ. કયારેક આ ગોલાઇ પર મોટો જીવલેણ અકસ્માત પણ સર્જાઇ શકે છે.