સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકાઉન્ટન્ટ જેવી અત્યંત મહત્વની જગ્યા છેલ્લા ચાર વર્ષી ખાલી છે. નવી શિક્ષણ નીતિમાં નક્કી કરાયેલી જોગવાઈ મુજબ દરેક યુનિવર્સિટીએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવાની રહેશે અને આવી કાઉન્સિલમાં એકાઉન્ટ ઓફિસરને હોદાની રુએ સમાવવાના રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના તો કરી છે પરંતુ તેમાં એકાઉન્ટન્ટના બદલે ઓડિટરને નીમવામાં આવ્યા છે. ગઈકાલે એકઝિક્યુટીવ કાઉન્સિલની બેઠક મળી હતી અને તેમાં એકાઉન્ટન્ટના બદલે ઓડિટર હાજર પણ રહ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકાઉન્ટન્ટ તરીકે ખેરની નિમણૂક કરવામાં આવી છે પરંતુ તે છેલ્લા ચાર વર્ષી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના રજીસ્ટર તરીકે પ્રતિનિયુક્તિના ધોરણે જવાબદારી સંભાળી રહ્યા છે. ખેરની નિમણૂક જીટીયુ માં કરવામાં આવી હોવાી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકાઉન્ટન્ટની જગ્યા ચાર વર્ષી ખાલી છે અને ઇન્ચાર્જી ગાડુ ગબડાવવામાં આવે છે. અત્યાર સુધી આ જગ્યાનો ચાર્જ ટ્રેઝરી વિભાગના અધિકારીને સોપવામાં આવ્યો હતો પરંતુ તેની પણ બદલી તાં અન્ય ટ્રેઝરી ઓફિસરોને અને ોડા સમય પહેલા તો મહાનગરપાલિકાના એકાઉન્ટન્ટને આ જવાબદારી ઇન્ચાર્જ તરીકે આપવામાં આવી હતી. નંદાણીયા અને કુરમુર પછી હવે અત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના એકાઉન્ટ ઓફિસર દેસાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ તરીકેની જવાબદારી સંભાળે છે.
કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિદત બારોટે આ બાબતે જણાવ્યું છે કે આવું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ બની શકે. નવી શિક્ષણ નીતિમાં સ્પષ્ટ જોગવાઈ છે કે એક્ઝિકયુટિવ કાઉન્સિલમાં માત્ર એકાઉન્ટન્ટને જ સન આપી શકાશે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ ઓડિટરને મૂકી દીધા છે. તેને કાયદાની કાંઈ ખબર પડતી ની અને તેી તાત્કાલિક અસરી કુલપતિ તરીકે અન્ય કોઈને વ્યવસ કરવી જોઈએ. વર્તમાન કુલપતિ અત્યાર સુધી યુવક મહોત્સવ પણ યોજી શક્યા ન હતા. પરંતુ હવે તે બાબતે પણ અમારી રજૂઆત પછી નિર્ણય લેવાયો છે.
નવી શિક્ષણ નીતિ ની જોગવાઈ મુજબ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કુલપતિ ચેરમેન તરીકે જવાબદારી સંભાળતા હોય છે. રજીસ્ટરની જવાબદારી મેમ્બર સેક્રેટરીની હોય છે. આ ઉપરાંત પરીક્ષા નિયામક અને એકાઉન્ટ ઓફિસરને પણ તેમાં સન આપવામાં આવતું હોય છે. સિન્યોરિટીને ધ્યાનમાં રાખીને જુદા જુદા ત્રણ ભવનના વડાઓને અને સંલગ્ન કોલેજોના ચાર આચાર્યોને પણ એક્ઝિક્યુટિવ કમિટીમાં સન આપવાની વાત નવી શિક્ષણ નીતિના સ્ટેચ્યુટમાં કરવામાં આવી છે તેમ જણાવી નિદત્ત બારોટે કહ્યું છે કે આતો નિયમોનો સરેઆમ ભંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ધારાશાસ્ત્રી જમન ભંડેરીની કસ્ટમ્સ વિભાગના ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક
June 07, 2025 11:09 AMટંકારા જુગાર તોડકાંડમાં આરોપી પીઆઈ ગોહિલના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર
June 07, 2025 11:09 AMકલ્યાણપુરના ગાગા ગામે મહિલા ઉપર હુમલો: ચાર શખ્સો વિરુધ્ધ નોંધાવાતી ફરિયાદ
June 07, 2025 11:04 AMફિશિંગની મનાઈ હોવા છતાં દરિયામાં માછીમારી કરતા સલાયાના શખ્સ સામે ગુનો
June 07, 2025 11:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech