રાજકોટમાં કોરોનાના કેસ લગાતાર વધી રહ્યા છે, દરમિયાન આજે તા.૭ જુનને શનિવારે વધુ નવ કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં હાલ સુધીમાં કુલ ૮૬ કેસ મળ્યા છે જેમાંથી ૩૭ સાજા થયા છે અને ૪૯ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે.
આ વિસ્તારોમાં નવા કેસો મળ્યા
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આજે તા.૭ જુનના રોજ રાજકોટ શહેરમાં કોરોનાના વધુ નવ કેસ સામે આવ્યા છે જેમાં (૧) વોર્ડ નં.૧૦માં જલારામ પ્લોટ-૧માં નાથદ્વારાની યાત્રાએથી પરત ફરેલા ૫૬ વર્ષીય મહિલા (૨) વોર્ડ નં.૧૦માં સત્ય સાંઈ માર્ગ ઉપર ૬૦ વર્ષીય પુરૂષ (૩) વોર્ડ નં.૯માં ગાર્ડન સિટીમાં ૪૬ વર્ષીય સ્ત્રી અને ૨૦ વર્ષીય યુવતી (૪) વોર્ડ નં.૨માં બજરંગવાડી વિસ્તારમાં ૪૫ વર્ષીય પુરૂષ (૫) વોર્ડ નં.૧ના શીતલ પાર્કમાં અમદાવાદથી પરત ફરેલા ૨૭ વર્ષીય યુવાન (૬) વોર્ડ નં.૧૧ મવડીમાં ૩૫ વર્ષીય પુરૂષ (૭) વોર્ડ નં.૧૮ કોઠારીયાની હાઉસિંગ સોસાયટીમાં ૧૫ વર્ષીય તરૂણ (૮) વોર્ડ નં.૨માં જામનગર રોડ ઉપર ૨૭ વર્ષીય યુવાન સહિતના કુલ નવ દર્દીઓ સંક્રમિત થયા છે. આ તમામ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે અને તેમની તબિયત સ્ટેબલ છે.
નાગરિકોએ આટલી તકેદારી લેવી
ગુજરાતમાં હાલમાં જે કેસો જેવા મળે છે તે ઓમીક્રોનના પેટાં ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમાં દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વારથ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી- છીક દરમિયાન નાક-મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થુંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું. ખાસ કરીને કો-મોર્બીડ કડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં રાઈઝીંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી એજ સમજદારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech