પોરબંદરના ત્રણ માઇલ નજીક રીક્ષા ટ્રક સાથે અથડાતા ચાલકની પત્નીનું મોત નિપજ્યુ છે ત્યારે રીક્ષા ચલાવી રહેલ આધેડ સહિત અન્ય મુસાફરોને નાની -મોટી ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
કોલીખડાની દાદરસીમ વાડી વિસ્તારમાં રહેતા શાંતિબેન રામભાઇ સુંડાવદરા નામના ૩૨ વર્ષના મહિલાએ અકસ્માતના આ બનાવ અંગે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે તેમનું પીયરીયુ ટુકડા ગામે હોવાથી શાંતિબેનને ટુકડા જવુ હતુ આથી સવારે તેના પતિ રામભાઇ બાલુભાઇ સુંડાવદરા, શાંતિબેન અને તેમના દસ વર્ષના પુત્ર તેજસને બાઇકમાં જ્યુબેલી ચાર રસ્તે મૂકી ગયા હતા અને થોડીવાર પછી એક રીક્ષા આવતા તેમાં રીક્ષાચાલક અને તેના પત્ની બેઠા હતા.
શાંતિબેને પૂછતા રીક્ષાચાલક જ્યુબેલીના બોઘાભાઇ કાનાભાઇ કોડીયાતર અને રીક્ષાચાલકના પત્ની ધાનીબેને એવુ શાંતિબેનને જણાવ્યુ હતુ કે તેઓને પણ ટુકડા ગામે માતાજીના નિવેદ કરવા જવુ છે તેથી ફરિયાદી શાંતિબેન સુંડાવદરા તેમના દિકરા તેજસ સાથે રીક્ષામાં બેસી ગયા હતા અને આ રીક્ષા બોખીરા ત્રણ માઇલના અંડરબ્રીજ નીચેથી સોમનાથ-દ્વારકા નેશનલ હાઇવે પર રોંગ સાઇડમાં જતી હતી ત્યારે નેવી ઓફિસરના કવાર્ટર પાસે સામેથી એક ટ્રક આવતો હતો અને એ ટ્રક સાથે રીક્ષા અથડાઇ જતા બધા લોકો નીચે પડી ગયા હતા.
કોઇએ ઇમરજન્સી સેવા ૧૦૮ને જાણ કરતા રીક્ષાચાલક બોઘાભાઇ કાનાભાઇ કોડીયાતર અને તેના પત્ની ધાનીબેન ઉ.વ. ૫૦ને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લઇ જવાયા હતા અને ફરિયાદી શાંતિબેનનો કૌટુંબિક ભાઇ ત્યાંથી નીકળતા તેઓ ખાનગી ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા.
ત્યારબાદ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લઇ જવાયેલા રીક્ષાચાલકના પત્ની ધાનીબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રીક્ષાચાલક બોઘાભાઇ કાનાભાઇ કોડીયાતરને વધુ ઇજા થતા વધુ સારવાર માટે તેમને રાજકોટ લઇ જવાયા છે આથી બેફિકરાઇથી રીક્ષા ચલાવીને પત્ની ધાનીબેનનું મોત નિપજાવનાર રીક્ષાચાલક બોઘાભાઇ કાનાભાઇ કોડીયાતર સામે શાંતિબેન સુંડાવદરાએ ગુન્હો દાખલ કરાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની સરકારી જી જી હોસ્પિટલ ચકચારી પ્રકરણ પહોંચ્યું ગાંધીનગર.
June 02, 2025 05:32 PMસંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રા કાર્યાલયનું ઉદ્દઘાટન અને ધ્વજારોહણવિધિ સંપન્ન
June 02, 2025 04:54 PMઓપરેશન શિલ્ડ અંતર્ગત ભાવનગરના સિદસર વિસ્તારમાં રાત્રે અંધારપટ કરાયો
June 02, 2025 04:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech