સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રા કાર્યાલયનું ઉદ્દઘાટન અને ધ્વજારોહણવિધિ સંપન્ન

  • June 02, 2025 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજિત ૪૦મી રથયાત્રાનું ભવ્ય આયોજન તા-૨૭-૬-૨૦૨૫ ને શુક્રવારના રોજ કરવામાં આવેલ છે.રથયાત્રા કાર્યાલયનું ઉદ્દઘાટન સત્યનારાયણ રોડ, ભાવનગર ખાતે અને ધ્વજારોહણ સંતો- મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં તા.૧ જુનને રવિવારે સંપન્ન થયુ હતુ.
આ કાર્યક્રમમાં ગરિબરામ બાપુ, જયદેવ બાપુ, ગોપાલદાસજી, પ્રેમદાસજી, મહંત તપાનંદજી, મહંત  અભિરામદાસજી તથા  હરિ ભગત વગેરે સંતો તથા રાજકીય આગેવાનો પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર  ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર  મોનાબેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, પૂર્વ પ્રમુખ  અભયસિહ ચૌહાણ, પૂર્વ મહામંત્રી અરૂણભાઈ પટેલ, ડી બી ચુડાસમા વગેરે મહાનુભાવો તથા સમિતિના આગેવાનો, શુભેચ્છકો, ભાઈઓ બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં ધ્વજારોહણ તથા કાર્યાલય ઉદ્દઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયેલ.
આ પ્રસંગે સંતો તથા રાજુભાઈ રાણા,  જીતુભાઈ વાઘાણી વગેરેએ મનનીય પ્રવચન આપેલ અને દેશની જરૂરિયાત માટે પ્રેરણારૂપ સંબોધન કરેલ.
રથયાત્રા સમિતિના અધ્યક્ષ  હરૂભાઈ ગોંડલીયાએ સૌને આવકાર્યા હતા અને આ રથયાત્રા સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે  પાર્થ ગોંડલીયાની જાહેરાત કરતા સર્વે સંતોએ આશીર્વાદ આપ્યા હતા અને આગેવાનો તથા નાગરિક ભાઈઓ-બહેનોએ પાર્થ ગોંડલીયાને શુભેચ્છા પાઠવી હતી. આભાર વિધિ કાર્યકારી અધ્યક્ષ પાર્થ ગોંડલીયાએ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application