બરસાનામાં રાધા જન્મોત્સવમાં ધક્કામુક્કી, બે ભાવિકોના મોત

  • September 23, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે સમગ્ર દેશમાં રાધાષ્ટ્રમી ઉજવાઈ રહી છે ત્યારે મથુરાના બરસાનામાં વહેલી સવારે રાધા જન્મોત્સવ દરમિયાન દર્શન માટે આવેલા શ્રધાળુઓની મોટા પ્રમાણમાં ભીડ એકઠી થઇ હતી જેમાં ગૂંગળામણના કારણે બે ભકતોના શ્વાસ ંધાવાથી મોત થયા હતા. તેમજ કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા.


આજે વહેલી સવારે બરસનાના લાડલીજી મંદિરમાં અભિષેકના દર્શન દરમિયાન ધક્કામુકી સર્જાઈ હતી. જેમાં ગૂંગળામણના કારણે બે ભકતોના શ્વાસ ંધાવાથી મોત થયા હતા. તેમજ કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. મૃતકોમાં એક મહિલા શ્રદ્ધાળુનો પણ સમાવેશ થાય છે. પ્રયાગરાજના રહેવાસી ૬૦ વર્ષીય ભકત રાજમણિ પોતાના પરિવાર સાથે રાધારાણીના દર્શન કરવા બરસાના પહોંચ્યા હતા. સવારે ચાર વાગ્યે ભકતો અભિષેકના દર્શન કરવા સીડીઓ દ્રારા લાડલીજી મંદિરે જતા હતા. ત્યારબાદ ભીડના દબાણમાં તેણીનો શ્વાસ ંધાઈ ગયો અને તે બેભાન થઈ ગઈ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપયું હતું.બીજી તરફ ભીડનો અન્ય એક વૃદ્ધ ભો૯ગ બન્યા હતા અને બેહોશ થઈ ગયા હતા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલ આ મૃતકની ઓળખ થઈ શકી નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application