પ્રયાગરાજ મહાકુંભ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 49 થયો છે. મહાકુંભ પ્રશાસને 24 અજાણ્યા મૃતકોના ફોટા જાહેર કર્યા છે. અકસ્માતમાં આ 24 લોકોની ઓળખ થઈ શકી નથી. મૌની અમાસ દિવસે મહાકુંભ અકસ્માતમાં 30 લોકોનાં મોત થયા હતા. સરકારે આ માહિતી આપી હતી. પરંતુ આમાં મૃત્યુ પામેલા 25 લોકોની ઓળખ થઈ ગઈ હતી અને પાંચની ઓળખ થઈ શકી નથી.
મહાકુંભ પ્રશાસને કહ્યું હતું કે, અકસ્માત ફક્ત સંગમ ઘાટ પર જ થયો હતો, જેમાં 30 લોકોનાં મોત થયા હતા. પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મૌની અમાસના દિવસે ઝુંસીમાં પણ ભાગદોડ મચી હતી, જેનો ખુલાસો ત્યાંના પ્રત્યક્ષદર્શીઓએ ખુલાસો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, મૌની અમાસના દિવસે સવારે લગભગ 4 વાગ્યે ઝુંસીના સેક્ટર-21માં ભાગદોડ મચી ગઈ હતી. અહીં પણ એક અકસ્માત થયો હતો.
અજાણ્યા મૃતદેહોના 24 પોસ્ટરો
ઝુંસીમાં થયેલી ભાગદોડમાં લગભગ 24 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના પોસ્ટરો પ્રયાગરાજ પોસ્ટમોર્ટમ હાઉસની બહાર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો દ્વારા મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મૃત્યુઆંક અંગે પણ ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શું મૃત્યુઆંક વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર મૃત્યુઆંક મુજબ છે કે પછી આ આંકડો તેનાથી ઘણો વધારે છે?
સંગમ ઘાટ પર 30 યાત્રાળુઓના મોત થયા
મૌની અમાવસ્યાના દિવસે સંગમ ઘાટ પર થયેલા અકસ્માતમાં કુલ 30 લોકો માર્યા ગયા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક સારવાર બાદ 24 ઘાયલોને તેમના પરિવારજનો ઘરે લઈ ગયા હતા, જ્યારે 36 ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ જ સમયે સીએમ યોગીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. તેમજ અકસ્માતની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.
રચાયેલી તપાસ ટીમ આજે પ્રયાગરાજ જશે
મહાકુંભમાં ભાગદોડ બાદ રચાયેલી તપાસ ટીમ આજે પ્રયાગરાજ જશે. તપાસ સમિતિ આજે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરશે. સીએમ યોગીએ મહાકુંભ દુર્ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. નિવૃત્ત ન્યાયાધીશ હર્ષ કુમારના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech