મોરબી ખાણ ખનીજ અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી

  • August 14, 2024 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી ખાણ ખનિજ વિભાગના અધિકારીને લીઝ બાબતે અન્ય લોકો રજૂઆત કરવા આવેલ હોય જેને બાર બેસવાનું કહેતા એક ખનીજ માફીયા આરોપીને સા ન લાગતા આરોપીએ ખાણ ખનિજ વિભાગના અધિકારીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
ખાણ ખનિજ વિભાગમાં નોકરી કરતા જગદિશકુમાર સોમાભાઈ વાઢેર (ઉ.વ.૩૩) એ આરોપી સામતભાઈ કરમુર રહે. જામનગર વાળા વિદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતે ખાણ ખનીજ અધીકારી હોય જે આરોપી પોતે જાણતા હોય અને આરોપી પોતે બીજાની લીઝ બાબતે અન્ય લોકો સાથે રજુઆત કરવા આવેલ હોય જેઓને ફરીયાદીએ ઓફીસની બહાર બેસવાનુ કહેતા સા નહિ લાગેલ અને ફરીયાદીએ આરોપીને અગાઉ ગેરકાયદેસર ખનન કરવા અંગે કેશદડં કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application