જામનગરમાં વાલકેશ્વરી રોડ પર બંધાઈ રહેલા નવા બિલ્ડીંગ ના બારમાં માળે કામ કરી રહેલો એક શ્રમિક યુવાન અકસ્માતે નીચે પટકાઈ પડ્યો હતો, અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાલકેશ્વરી રોડ પર કોચ હાઉસ પાસે માધવ સ્કાય લાઈન નામનું નવુ બિલ્ડીંગ બંધાઈ રહ્યું છે, જે બિલ્ડીંગના બારમાં માળે કામ કરી રહેલો પ્રવીણ અમરાભાઇ નનોતા નામનો ૨૮ વર્ષનો યુવાન ચાલુ કામકાજ દરમિયાન અકસ્માતે બારમાં માળેથી નીચે પટકાઈ પડ્યો હતો, અને ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો.
જેને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે બાંધકામના કોન્ટ્રાક્ટર હિરેનભાઈ સુરેશભાઈ પટેલે પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય. એમ. વાળા બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech