દીવમાં સિંહ દેખાતા લોકોએ રાત્રે એકલા બહાર ન નીકળવા કલેકટરનો આદેશ

  • March 21, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈતિહાસમાં પહેલો બનાવ એવો સામે આવ્યો છે કે, દીવમાં સિંહ દેખાતા લોકોએ રાત્રીના સમયે એકલા બહાર ન નીકળવા કલેકટરને આદેશ કરવો પડયો છે. 
દીવમાં ડાંગરવાડી નજીક ઝાડીઓમાં ખાડી વિસ્તારની બાજુમાં એક ખેડુતની વાડીમાં બે દિવસ પહેલા રાત્રીના સિંહે બળદનું મારણ કરતાં દિવ અને ગુજરાતના વન વિભાગે સિંહના પગલાના નિશાન ઉપર સર્ચ કરીને સીસીટીવી કેમેરા મુકી સિંહને ટ્રેક કરીને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરી હતી અને દીવ વન વિભાગે વિગતવાર માહિતી લઈને દિવ કલેકટર અને દિવ અને ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. દિવ જિલ્લા કલેકટરે આજુબાજુના ગામ પંચાયતના લોકોને અંધારામાં ઘરની બહાર એકલા ન નિકળવા આદેશ આપ્યો છે. જોલાવાડીના ખેડુત દેવાભાઈ નથુએ વિગતવાર જાણકારી આપી કે ગુજરાતનું જંગલ દિવ દરિયાઈ વિસ્તારથી ઘણું દુર છે અને આ જંગલી પ્રાણીઓ અનેક વાર સિંહ દીપડાઓ પર્યટન સ્થળ દિવ સુધી કયા માર્ગે પ્રવેશ કરતા હોય છે. આમ કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં સાવજ આવી પહોંચ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application