વનવિભાગ દ્વારા તાજેતરમાં લાગૂ કરવામાં આવતા ગતિ નિયંત્રણ ને ધ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડે મહુવા-સુરત અને સુરત મહુવા ગાડીઓ સુપરફાસ્ટને બદલે એક્સપ્રેસ તરીકે દોડાવવા અને તેના નંબર અને સમયમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે, જેના કારણે આંશિક રીતે ગાડીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ અંગે ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા ગાડી નંબર ૨૦૯૫૬ મહુવા-સુરત સુપરફાસ્ટ હવે ૨૫ ઓગસ્ટ થી ગાડી નંબર ૧૯૨૫૬ મહુવા-સુરત એક્સપ્રેસ તરીકે ઓળખાશે. આ ગાડી મહુવા સ્ટેશનથી ૧ કલાક ૨૦ મિનિટ વહેલી એટલે કે ૧૯:૧ કલાકના વર્તમાન નિર્ધારિત સમયને બદલે ૧૭:૫૫ કલાકે ઉપડશે. ઢસા અને સુરત વચ્ચેના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ગાડીનો આગમન-પ્રસ્થાનનો સમય અનુક્રમે રાજુલા સ્ટેશન પર ૧૮:૩૫/૧૮૩૭ કલાક, સાવરકુંડલા સ્ટેશન પર ૧૯:૪૪/૧૯:૪૫ કલાક, લીલીયા મોટા સ્ટેશન પર ૨૦:૨૨/૨૦૨૩ કલાક અને દામનગર સ્ટેશન પર ૨૧:૦૦/૨૧:૦૧ કલાકનો રહેશે. ગાડી નંબર ૨૦૯૫૫ સુરત મહુવા સુપરફાસ્ટ હવે ૨ મી ઓગસ્ટ થી ગાડી નંબર ૧૯૨૫૫ સુરત મહુવા એક્સપ્રેસ તરીકે ઓળખાશે. સુરત અને દામનગર વચ્ચેની આ ગાડીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, માત્ર લીલીયા મોટા અને મહુવા વચ્ચેના સ્ટેશનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ગાડીનો આગમન-પ્રસ્થાનનો સમય અનુક્રમે લીલીયા મોટા સ્ટેશન પર ૦૭:૨૫/૭:૨૬ કલાક, સાવરકુંડલા સ્ટેશન પર ૦૮:૧૦/૦૮:૧૧ કલાક અને રાજુલા સ્ટેશન પર ૦૮:૫૫/૦૮:૫૬ કલાકનો રહેશે. આ ગાડી તેના વર્તમાન નિર્ધારિત સમય સવારે ૦૯:૧૦ ના બદલે ૫૫ મિનિટ મોડી એટલે કે સવારે ૧૦:૦૫ કલાકે મહુવા સ્ટેશન પહોંચશે. આ ગાડીના સ્ટોપેજ, કમ્પોઝિશન અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ ૂૂૂ. યક્ષિીશિુ .શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પરથી મેળવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech