કેન્દ્રએ મધ્યપ્રદેશના આપી મોટી ભેટ, લાખો ખેડૂતોને થશે ફાયદો, રાત્રે આવેલા પ્રસ્તાવને સવારે આપી મંજૂરી

  • September 11, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી સારા સમાચાર મળ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે મધ્યપ્રદેશના ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર સોયાબીનનો પાક ખરીદવાની મંજૂરી આપી હતી. તેનો પ્રસ્તાવ મંગળવારે જ મોકલવામાં આવ્યો હતો.




કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, રાજ્ય સરકારની વિનંતીને સ્વીકાર્યા બાદ મંજૂરી આપવામાં આવી છે. શિવરાજે કહ્યું કે, હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, મધ્યપ્રદેશમાં સોયાબીનનો પાક MSP પર ખરીદવામાં આવશે.




શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું…




કૃષિ અને ખેડૂત કલ્યાણ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારા માટે ખેડૂતોની સેવા કરવી એ ભગવાનની પૂજા કરવા સમાન છે. છેલ્લા કેટલાક દિવસોથી મધ્યપ્રદેશના ખેડૂતો ચિંતિત હતા કારણ કે સોયાબીન MSPથી નીચે વેચાઈ રહ્યું હતું. સૌ પ્રથમ અમે મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોને MSP પર સોયાબીન ખરીદવાની મંજૂરી આપી. અમને ગઈકાલે રાત્રે મધ્ય પ્રદેશ સરકાર તરફથી MSP પર સોયાબીન ખરીદવાનો પ્રસ્તાવ મળ્યો હતો. અમે તે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.




એમપીમાં થાય છે સોયાબીનનું 60 ટકા કુલ ઉત્પાદનના




આ પહેલા મંગળવારે મધ્યપ્રદેશના ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ મંત્રી આદલ સિંહ કંસાનાએ કહ્યું હતું કે, MSP પર સોયાબીન ખરીદવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો અને મંજૂરી મળ્યા બાદ ખરીદી કરવામાં આવશે.



જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ ભારતનું સૌથી મોટું સોયાબીન ઉત્પાદક રાજ્ય છે, જ્યાં ભારતના કુલ સોયાબીન ઉત્પાદનના લગભગ 60 ટકા ઉત્પાદન થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application