મોરબીના દલવાડી સર્કલ નજીક રહેણાંકમાં બ્લાસ્ટ

  • February 03, 2024 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના દલવાડી સર્કલ નજીક રહેણાંક મકાનમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો જે ઘટનામાં પરિવારના ત્રણ સભ્યો દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
​​​​​​​
બનાવની મળતી માહિતી મુજબ દલવાડી સર્કલ પાસે આવેલ ઉમા રેસીડેન્સી-૨ના એક રહેણાંક મકાનમાં બ્લાસ્ટની ઘટના બની હતી જે બ્લાસ્ટને પગલે ઘરમાં હાજર ક્રિષા કાનજી ગરચર (ઉ.વ.૦૩) કાનજીભાઈ મગનભાઈ ગરચર (ઉ.વ.૨૮) અને વૈશાલીબેન દેવાયતભાઈ ગરચર (ઉ.વ.૨૪) એમ ત્રણ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તે હાલ સ્પષ્ટ થયું નથી બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે અને બનાવની વધુ તપાસ ચલાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application