RTE પ્રવેશમાં મોટો ફેરફાર: આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા, વાલીઓને મળશે રાહત

  • March 12, 2025 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળના પ્રવેશ માટે આવક મર્યાદા વધારવાની વિચારણા હાથ ધરી છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા છે, જેને વધારીને 6 લાખ રૂપિયા કરવાની વિચારણા ચાલી રહી છે. સરકાર એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લઈ શકે છે.


ગુજરાત વાલી એકતા મંડળે સાત મહિના પહેલાં મુખ્યમંત્રીને પત્ર લખીને આવક મર્યાદા વધારવાની માગ કરી હતી. મંડળનું કહેવું છે કે 2009માં જ્યારે RTEનો કાયદો બન્યો ત્યારે આવક મર્યાદા 1.50 લાખ હતી, પરંતુ મોંઘવારી વધતાં હાલના સમયમાં 2.50 લાખ રૂપિયાની આવક પણ ગુજરાન ચલાવવા માટે જરૂરી છે. રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાં RTEમાં આવક મર્યાદા 2.50 લાખ છે, તો ગુજરાતમાં પણ આવક મર્યાદા વધારવી જોઈએ.


જો સરકાર RTEની આવક મર્યાદા વધારવાનો નિર્ણય લેશે, તો વાલીઓને નવા દાખલા કઢાવવા માટે વધારાના 10 દિવસનો સમય આપવામાં આવશે. આ નિર્ણયથી આર્થિક રીતે નબળા વર્ગના વધુ બાળકોને RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાની તક મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application