રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત પ્રમુખરાજ સંસ્કારપામ ખાતે મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠ 1 મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચૈતપના અનોખા માહોલમાં પામધૂમપૂર્વક પૂર્ણ થયો. ત્રિવિસીય આ મહોત્સવે રાજકોટ શહેરને ભક્તિમય બનાવી દીધુ હતું, જેમાં હજારો હરિભાતો, સંતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુભક્તિ તથા ધર્મપ્રેમની અનોખી અભિવ્યક્તિ કરી હતી. મહોત્સવનો મંગલ પ્રારંભ તા ૨ મે, શનિવારના રોજ વિવશાંતિ મહાયસથી કરવામાં આવ્યો હતો. તા.૩ મે, રવિવારના પ્રમુખરાજ સંસ્કારધામથી ભવ્ય નગદ પાત્રાનું
આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સંતો તથા નગરના પ્રતિષ્ટિ ત આગેવાનો દ્વારા વિધિવ- પૂજન સાથે પાત્રાનો આરંભ થયી હતો. આ નગરયાત્રામાં અક્ષરપુરુષોત્તમ મહારાજ રચમાં વિરાજમાન રહી શહેરભરમાં ભતોને દર્શન આપતા હતા. સ્વામિનારાયણ મહામંત્રના ગુંજતા નાદ, કીર્તન-ભજન અને ગુરુપરંપરાના જપદ્યોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નાના બાળકોથી માંડીને પુવાનો અને વડીલો સુધી દરેક વર્ગના લોકો ઉત્સાહભેર જોડાયા હતાં. જાહેર રવિસભા મહોત્સવનું એક મુખ્ય આકર્ષણ બની રહી હતી. આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના વરિષ્ટ સંતો દ્વારા આશીર્વચન અને પ્રેરણાદથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંસ્થાના વિદ્વાન અને સંત અક્ષરચરણ સ્વામીના આશીર્વચન, જાચતીર્થ સ્વામીના માર્ગડર્ણન અને અપૂર્વમુનિ સ્વામીના ઉર્જાસભર પ્રવચન દ્વારા ભાતોને સંસ્કારયુક્ત અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા મળી હતી. સંતોએ પોતાના વક્તવ્યોમાં મંદિરના મહત્વને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે મંદિર માત્ર પૂજાનું સ્થાન નથી, પરંતુ તે મનને શાંતિ આપતું, જીવનને દિશા આપતું અને માનવતાને મજબૂત બનાવતું પવિત્ર કેન્દ્ર છે. તા.૪ મે, સોમવારના રોજ વહેલી સવારે પ્રમુખરાજ સંસ્કારધામ ખાતે મૂર્તિઓની વૈલ્કિ વિધિપૂર્વક પ્રાણપ્રતિક | કરવામાં આવી હતી. સંતોના હસ્તે મંદિરના દ્વાર ખુલ 1 મુકાતા જ ભક્તોમાં અનોખો આનંદ અને ભાવવિભોરતા છવાઈ ગઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મૂર્તિઓમાં પ્રાણપતિષ્ટ કરવામાં આવી હતી અને ત્યારબાદ અફૂટ અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૭૦ જેટલી વિવિધ વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application