ભારે વિરોધ વચ્ચે રેલવે તંત્રએ ડીઆરએમ બંગલા સામે દરગાહના દબાણ હટાવ્યા

  • September 02, 2024 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર રેલવે તંત્રની હદમાં દબાણ કરાયેલી દરગાહની આસપાસના ગેરકાયદે  કરાયેલા દબાણ અંગે  ભારે હોબાળા વચ્ચે હટવાયા હતા.    ચૂસ્ત બંદોબસ્ત હોવા છતાં લોકોના ટોળા દ્વારા રોષભેર રેલવે અધિકારીઓ વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.જ્યારે  ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરતા જેસીબીના કાચ પણ તટી ગયા હતા. ભાવનગર રેલવે તંત્રની હદમાં ડીઆરએમના બંગલાની સામેના ખાંચામાં આવેલી એક દરગાહનું વહેલી સવારથી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું આ ધાર્મિક સ્થળ જેનું નામ મોટા પીરનો છીલ્લો હોવાનું જાણવા મળ્યું છે. તેની આજુબાજુ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું રેલવે તંત્રને જણાવ્યું હતું. અને તેના કારણે ગેરકાયદેસર રીતે ચણવામાં આવેલા તમામ બાંધકામો હટાવી લેવામાં આવ્યા હતા. જોકે દરગાહની મુખ્ય કબર યથાવત રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application