નદીના પટમાં આશરે ત્રીસ વર્ષથી એક આસામી દ્વારા ૨.૧૦ લાખના ફૂટમાં વાવેતર કરાતુ હતુ અને વહેણમાં જ આખી વાડી ઉભી કરી દીધી: આખરે જામ્યુકો દ્વારા બે-બે નોટીસ આપ્યા બાદ દબાણ દૂર કરવાની કરાઇ કામગીરી: લોકોમાં આશ્ર્ચર્ય
જામનગર શહેરમાં ા.૧૨૫ કરોડનાં ખર્ચે રંગમતી-નાગમતીને ઉંડી ઉતારવાનું રીજુવેશન પ્રોજેકટ શ થઇ ચુકયો છે ત્યારે કોર્પોરેશન દ્વારા નદીના વહેણમાં રહેલા અને આજુબાજુ કાંઠાળ વિસ્તારમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણ દુર કરવાનુ મેગા ઓપરેશન શ કરી દેવામાં આવ્યું છે ત્યારે એક આસામી દ્વારા આશરે ત્રીસ વર્ષથી કોઇપણ રોકટોક વિના નાગમતી નદીના પટમાં ૨.૧૦ લાખ ફૂટ જમીનમાં વાડી બનાવીને પાક ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી જાણે કે રંગમતી-નાગમતી નદી પોતાની માલિકી હોય તેવું તે વર્તન કરતો હતો. આખરે મ્યુ.કમિશનર ડી.એન. મોદીનાં ઘ્યાનમાં આ વાત આવતા તેમણે આ અંગે નોટીસ ફટકારીને આધાર પુરાવા માંગવા અધિકારીઓને આદેશ આપ્યો હતો. પરંતુ જામનગરમાં તો જાણે સબ ભૂમિ ગોપાલકી હોય તેવું લાગે છે. જેમને મન થાય ત્યાં બાંધકામ કરી દીે છે, દબાણ કરનારાઓ સામે અત્યાર સુધી શા માટે કડક કાર્યવાહી કરવામાં નથી આવી તે અંગે પણ લોકોમાં આશ્ર્ચર્ય થયું છે.
મ્યુ. કમિશનરનાં માર્ગદર્શન હેઠળ ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જિનિયર ભાવેશ જાની, એસ્ટેટનાં વડા મુકેશ વરણવા, પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાની સહિતનાં દબાણ દુર કરવાની કાર્યવાહીમાં જોડાયા છે. ત્યારે નાગમતીનાં પટ્ટમાં અન્નપુર્ણા મંદિરનાં પાછળના ભાગમાં કે જયાં રંગમતી-નાગમતીનો સંગમ થાય છે તે વિસ્તારમાં એક શખ્સ દ્વારા નદીમાં દબાણ કરીને ૨.૧૦ લાખ ફૂટ જમીનમાં રીતસરની વાડી બનાવી દીધી હતી. એસ્ટેટના વડાના જણાવ્યા અનુસાર પ્રથમ ૪૭૮/૧ અને ત્યારબાદ ૭૭૮/૨ની નોટીસ આપવામાં આવી હતી અને દબાણ છે કે કેમ તે અંગે માલિકીના પુરાવા પણ માંગવામાં આવ્યા હતા.
આખરે ચારેક દિવસ પહેલા મેગા ઓપરેશન શ થયુ તેમાં આ વાડી ઉભી કરાઇ હતી તે શખ્સનું મનું બાંધકામ અને વાડીને ચોખ્ખી કરવાની કામગીરી શ કરી દેવામાં આવી હતી. વાડીમાં ખોદકામ કરતા માત્ર ૩ ફૂટમાં જ પાણી આવી ગયું હતું અને કોર્પોરેશન દ્વારા નદીના વહેણને ચોખ્ખુ કરવામાં આવી રહ્યું છે તે બે-ત્રણ દિવસમાં કામગીરી પુરી થઇ જશે. કોર્પોરેશન દ્વારા ત્રણ દિવસમાં લગભગ ૧૬૩ જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બચુનગરનાં ૨૦૦ થી વધુ નદીનાં પટ્ટમાં આવેલ ૩૫ જેટલા ગેરકાયદેસર બાંધકામો ઉપર હથોડો વીંઝવામાં આવશે તેમ જાણવા મળે છે.
અત્રે એ પ્રશ્ર્ન થાય છે કે ત્રીસ-ત્રીસ વર્ષથી રંગમતી-નાગમતીનો સંગમ થાય છે તે જગ્યામાં ૨.૧૦ લાખ ફૂટ જમીનમાં જે રીતે બાંધકામ કરવામાં આવ્યું છે જોતાં આ બાંધકામ અને વાડી બનાવવામાં આવી ત્યારે કોઇનું ઘ્યાન કેમ ન આવ્યું? વાડીમાં જુવાર, શાકભાજી અને ઘાસચારો ઉગાડવામાં આવતો હતો અને તેમાંથી લાખો પિયાની આવક પણ થતી હોવાનું બહાર આવ્યું છે.
રીજુવેશન પ્રોજેકટનો અમલ થઇ ચુકયો છે, સરકાર દ્વારા ા. ૨૫ કરોડનો પ્રથમ હપ્તો પણ જામનગર કોર્પોરેશનને આપવામાં આવ્યો છે. નદીનો પટ્ટ ચોખ્ખો થઇ ગયા બાદ રીવરફ્રન્ટની કામગીરી પણ કરવામાં આવશે તેમ જાણવા મળે છે. પરંતુ હાલ તો રંગમતી-નાગમતીને રાજાશાહી વખતમાં જે રીતે ચોખ્ખી ચણાક હતી એવી જ મૂળ સ્વપમાં આ નદીને લાવવામાં આવે તે રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
નદીમાં બનેલી ગેરકાયદેસર વાડીમાંથી હજારો પિયાની આવક...!!!
નદીનાં પટ્ટમાં ગેરકાયદેસર વાડીમાંથી હજારો પિયાની આવક કરવામાં આવી રહી છે એક શખ્સ દ્વારા વાડી બાંધીને તેમાંથી જુવાર, શાકભાજી, ઘાસચારો ઉગાડવામાં આવતો હતો અને તે બજારમાં વેંચવામાં આવતો હતો ત્યારે અગાઉ પણ કોઇનાં ઘ્યાનમાં આ દબાણો આવ્યા ન હતા હવે જયારે નદીનાં પટ્ટમાં ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી થઇ રહી છે ત્યારે આ પ્રકારનાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે.