આદિત્ય–એલ–૧ મોકલી રહ્યું છે સૂર્ય વિશેની અજાણી માહિતી: સોમનાથ

  • April 22, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ. સોમનાથે જણાવ્યું હતું કે દેશની પ્રીમિયર સ્પેસ રિસર્ચ એજન્સીનું આદિત્ય–એલ વન સોલાર મિશન સૂર્ય વિશે સતત ડેટા મોકલી રહ્યું છે. સોમનાથે પત્રકારોને જણાવ્યું હતું કે અવકાશયાનના ઘણા સાધનો ઘણા પાસાઓ પર ડેટા ફીડ કરવા માટે સતત કાર્યરત છે.

ઈસરોના વડાએ કહ્યું, 'અમે સૂર્યનું સતત અવલોકન કરી રહ્યા છીએ, જેમાં અલ્ટ્રાવાયોલેટ મેેટિક ચાર્જની ગણતરી, કોરોના ગ્રાફ ઓબ્ઝર્વેશન, એકસ–રે ઓબ્ઝર્વેશન અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. ભારતનું પ્રથમ સૌર મિશન વાહન આદિત્ય–એલ (૧) ૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રીતે આદિત્ય મિશનની શઆતને ૭ મહિના વીતી ગયા છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સોમનાથે કહ્યું, 'અમે આ સેટેલાઈટને પાંચ વર્ષ માટે રાખી રહ્યા છીએ અને જે ગણતરીઓ મળી છે તેનું વિશ્લેષણ લાંબા ગાળાના ઉકેલ તરીકે કરવામાં આવશે. ઈસરોના વડાએ કહ્યું કે તે તમારા તાત્કાલિક સમાચાર જેવું નથી હોતું કે આજે સૂર્ય વિશે કંઈક કહેવામાં આવે છે, કાલે કંઈક બીજું થશે, દરરોજ વસ્તુઓ બદલાતી રહેશે એવું નથી હોતું..


તેમણે કહ્યું કે હવે તમામ ગણતરીઓ કરવામાં આવશે, પરંતુ પરિણામ પછીથી જાણવા મળશે. યારે પત્રકારો દ્રારા પૂછવામાં આવ્યું કે શું આ મિશન સૂર્યગ્રહણ પર પ્રકાશ પાડી શકશે, તો સોમનાથએ કહ્યું,અમાં મિશન ગ્રહણ પહેલાં, દરમિયાન અને પછી સૂર્ય વિશેની માહિતી પણ એકત્રિત કરી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application