પતિ, બાળકોને મારી નાખવાની ધમકી આપીને આચર્યુ હતું દુષ્કર્મ
ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા ચેતન ધનજીભાઈ વારસાકીયા નામના શખ્સ દ્વારા એક પરિણીત મહિલાને તેણીના પતિ તથા બાળકોને મારી નાખવાની ધમકી આપી, ગત તારીખ ૨૫ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવા અંગેની ધોરણસર ફરિયાદ તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણમાં પોલીસે દુષ્કર્મની કલમ ૩૭૬ મુજબ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરીને અહીંની કોર્ટમાં ચાર્જ સીટ રજૂ કર્યું હતું. આ પ્રકરણમાં સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ ભોગ બનનાર તથા મેડિકલ ઓફિસરની જુબાની અને અન્ય પુરાવાઓ સાથે ધારદાર દલીલો કરતા નામદાર અદાલતે આરોપી ચેતન ધનજીભાઈ વારસાકીયાને તકસીરવાન ઠેરવી, સાત વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ પ્રકરણમાં અદાલતે ભોગ બનનાર મહિલાને વિટનેસ કમ્પેન્શન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech