ખંભાળિયાના સ્ત્રી અત્યાચાર કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

  • September 19, 2023 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકામાં રહેતા એક મહિલા દ્વારા તેણીના પતિ તથા પરિવારજનો સામે તેણીને શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી અને મારકૂટ કરવા ઉપરાંત પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરી લીધા હોવા અંગેની ધોરણસર ફરિયાદ અહીંના મહિલા પોલીસમાં નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસે સ્ત્રી અત્યાચારની કલમ તથા 506 (2), 114 વિગેરે મુજબ ગુનો નોંધ્યો હતો.


આ અંગેનો કેસ અહીંની ચીફ જયુડી. મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી મહિલા તથા લગત સાક્ષીઓ તેઓની ફરિયાદ અન્વયેનો કેસ પુરવાર કરી શક્યા ન હતા.


જે સંદર્ભે આરોપી તરીકે તરફે રોકાયેલા વિદ્વાન વકીલ જગદીશભાઈ સાગઠીયા તથા ભવ્ય આર. કોટેચા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલો તેમજ ઝીણવટભરી તપાસ વિગેરેને ધ્યાને લઈ અને નામદાર અદાલતે આરોપીઓને નિર્દોષ ઠેરવી, છોડી મૂકવા માટેનો હુકમ કર્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application