વિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે સ્વાતંત્ર યુગના ક્રાંતિકારીઓ વિષે વાર્તાલાપ યોજાયો

  • September 04, 2024 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિદ્યાધીશ વિદ્યા સંકુલ ખાતે મહેમાન મંડળ અંતર્ગત રાજેન્દ્રસિંહ રાણા દ્વારા સ્વાતંત્ર યુગના ક્રાંતિકારીઓ અંગે પરી સંવાદ યોજાયો વક્તા દ્વારા વિદ્યાર્થીઓને ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીના ક્રાંતિકારીઓ વિશે પરિચય કરાવવામાં આવ્યો જેમાં ક્રાંતિકારી સરદારસિંહ રાણા, શામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામાની ક્રાંતિકારી ચળવળ અંગે અને તેમના કાર્યો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. દેશની બહાર રહીને પણ દેશની આઝાદી માટે તેમણે કરેલા કાર્યો અને તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને સ્વાતંત્ર સેનાની અને ક્રાંતિકારીઓ વચ્ચેની ભેદરેખા અંગે સમજૂતી આપવામાં આવી. વક્તા નો પરિચય સવાણી દ્વારા આપવામાં આવ્યો જ્યારે આકાશભાઈ પટેલ અને સરવૈયા દ્વારા પુસ્તક, ગુચ્છ દ્વારા વક્તાને સન્માનિત કરાયા. કાર્યક્રમની આભારવિધિ વિશાલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application