જામનગરમાં પૂર્વ પ્રાથમિક શાળાઓનો સેમીનાર યોજાયો

  • April 05, 2024 10:29 AM 

ટ્રસ્ટ બનાવવા માટેની કાર્યવાહી બાબતે વિગતવાર કરાતી ચચર્-િવિચારણા


જામનગરમાં ગત તા. ર8-03-ર0ર4 ને ગુરુવારના રોજ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પૂર્વ પ્રાથમિક શાળાઓના રજીસ્ટ્રેશન બાબતે માર્ગદર્શન માટે એક સેમીનાર યોજાયેલ હતો. જેમાં જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી શિક્ષક નિરીક્ષક ધનસુખભાઈ ભેંસદડીયા, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરતેષ શાહ, પીઆરઓ બંસરી ભટ્ટ તથા એલ. જી. હરિઆ સ્કુલના આચાર્ય ધવલ પટ્ટ હાજર રહેલ હતા.


આ ઉપરાંત જામનગર જીલ્લાની 60 જેટલી પૂર્વ પ્રાથમિક શાળાના સંચાલકોએ આ સેમીનારમાં ભાગ લીધો. આ કાર્યક્રમની શરૂઆતમાં ધવલ પટ્ટે આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમના હેતુ વિષે ચચર્િ વિચારણા કરેલ હતી. ત્યારબાદ ધનસુખભાઈ ભેંસદડીયાએ પૂર્વ પ્રાથમિક શાળાઓના રજીસ્ટ્રેશન માટે જીલ્લા કક્ષાના નોડલ ઓફિસર તરીકે નિમણુંક થયેલ છે, તેમને અરજી ક્યર્િ બાદની કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપેલ હતી.


ત્યારબાદ પીઆરઓ બંસરી ભટ્ટ દ્વારા અરજી કેવી રીતે કરી શકાય...? તથા ટ્રસ્ટ બનાવવા માટેની કાર્યવાહી બાબતે વિગતવાર ચચર્િ કરવામાં આવેલ હતી. ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરતેષ શાહ દ્વારા પ્રાસંગિત ઉદ્બોધન કરવામાં આવેલ હતું તથા સંચાલકોના પેચીદા પ્રશ્ર્નોના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતમાં પ્રશ્ર્નોતરી દ્વારા ચચર્િ વિચારણા કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application