રાજકોટમાં પ્રેમી યુગલનો આપઘાત

  • September 25, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેલનગરમાં શ્રીજી રેસીડેન્સીમાં લિવ ઈનમાં રહેતી ત્યક્તા અને યુવકએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવના પગલે પ્ર.નગર પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી તપાસ હાથ ધરી હતી. મૃતક તૃપ્તિબેનના છૂટાછેડા થઇ ગયા હતા અને અક્ષય સાથે ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક થતા બંને એકબીજાને પ્રેમ કરતા હતા બાદ લિવ ઇનમાં સાથે રહેવા લાગ્યા હતા. આપઘાત કર્યો એ મકાન સાતેક દિવસ પહેલા જ ભાડે રાખ્યું હતું યુવક રાત્રીના બહારથી ઘરે આવ્યો ત્યારે પ્રેમિકાને લટકતી જોઈ પોતે પણ લટકી ગયો હતો.
આપઘાતના બનાવની વિગત મુજબ રેલનગરમાં શ્રીજી રેસિડેન્સીમાં બીજા માળે બી-10 નંબરના ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન ભાવેશભાઈ ધ્રાંગધરીયા (ઉ.વ.37) નામની ત્યક્તા અને તેની સાથે લિવઇનમાં રહેતા અપરણિત અક્ષય શૈલેષભાઇ કલોલીયા (ઉ.વ.29)ના યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ અક્ષયના મિત્ર પરેશભાઈએ પ્ર.નગર પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચતા બંને લટકતા જોવા મળ્યા હતા. તાકીદે 108ને જાણ કરતા 108ની ટિમએ પહોંચી બંનેને મૃત જાહેર કરતા મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર તૃપ્તિબેનના અગાઉ 15 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને થોડા સમયમાં જ છુટા છેડા થઇ ગયા હતા બાદમાં તૃપ્તિબેન ગુરુપ્રસાદ ચોકમાં રહી બ્યુટી પાર્લરનું કામ કરતા હતા દરમિયાન નજીક જ આવેલા કૃષ્ણનગરમાં ગેરેજ ધરાવતા ભાવેશભાઈ ધ્રાંગધરીયાં સાથે થયા હતા 10 વર્ષના લગ્ન સમયમાં સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ થઇ હતી. બાદમાં પાંચેક વર્ષ પહેલા ભાવેશભાઇ સાથે છૂટાછેડા લઇ લેતા પુત્રને ભાવેશભાઈ રાખ્યો હતો. અક્ષય ભાવેશનો મિત્ર થતો હોવાથી તુપ્તિબેન અક્ષય સાથે ઇન્સ્ટાગ્રામમાં મારફતે સંપર્કમાં આવતા બંને વચ્ચે વાતચીત દરમિયાન પ્રેમ થયો હતો અને લિવ ઈનમાં બંધાયા હતા. અને સાતેક દિવસ પહેલા અક્ષયએ પોતે અમદાવાદ કામથી જવાનું છે તેમ ઘરે કહ્યું હતું અને રેલનગરમાં ફ્લેટ રાખી તૃપ્તિબેન સાથે રહેતો હતો.
ગઈકાલે રાત્રે ઘરે એકાદ વાગ્યે ઘરે આવ્યો ત્યારે પ્રેમિકા તૃપ્તિબેનને લટકતી હાલતમાં જોતા પોતે ગભરાઈ ગયો હતો અને મિત્ર પરેશભાઈને વોઇસ મેસેજ કરી તુપ્તિએ આપઘાત કરી લીધો છે હું તેના વગર રહી શકું તેમ નથી હું પણ આપઘાત કરું છું, તેમ જાણ કરી હતી. અક્ષય એક બહેનમાં મોટો હતો અને છૂટક કામ કરતો હતો. મૃતક તૂપ્તિબેનના માવતર ચંદ્રેશનગરમાં રહે છે. બંનેને ક્યાં કારણથી આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application