દેવગણાના શહીદ મેહુલભાઈના વારસદારોને રુપીયા ૧. ૧૦કરોડનો ચેક અર્પણ કરાયો

  • June 03, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી (દેવગણા, તા. સિહોર, જી. ભાવનગર)  છત્તીસગઢ ખાતે ઈછઙઋ માં ૨૧૦ ઈઘઇછઅ ઇક્ષ  ઈજ્ઞક્ષતફિંબહય જીડી     નકસલી હુમલા માં ગઈ  તા. ૨૨-૦૫ ના રોજ ૩૩ વર્ષની  ઉંમરે  શહીદ થતા તેમના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પગાર ખાતા સાથે જોડાયેલ વીમાની રકમ મળી કુલ રૂપિયા ૧. ૧૦ કરોડનો ચેક તેમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.
​​​​​​​
શહીદ મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી નું પગાર ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (જઇઈં) ની સિહોર બ્રાન્ચ માં ધરાવતા હતા. તા.૨૩-૦૫ ના રોજ જઇઈં સિહોર શાખા ના અધિકારીઓ ને ઘટના ની જાણ થતાં ઈછઙઋ યુનિટ નો સંપર્ક સાધી જઇઈં પગાર ખાતા સાથે જોડાયેલ ઇન્સ્યોરન્સ ક્લેમ ને લગતી વિધિ ત્વરિત ગતિ એ પૂરી કરેલ. જેના ફળ સ્વરૂપે ફક્ત ૩ કામના દિવસો માં ક્લેમ ની રકમ રૂ. ૧. ૧૦ કરોડ વારસદાર ના ખાતા માં જમા થઈ ગયેલ. જ્યાં જઇઈં બેન્ક ધ્વારા પગાર ખાતા સાથે જોડાયેલ પર્સનલ એક્સિડન્ટ પોલિસી ની માહિતી આપી હતી. ઈછઙઋ ડિપાર્ટમેંટ તથા જઇઈં સિહોર શાખા ના કર્મચારીઓના પ્રયત્નો ના ફળ સ્વરૂપે શહીદ મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી ના માતા નાનુબેન સોલંકી ને તા ૩૧-૦૫ ના રોજ રૂ. ૧, ૧૦, ૦૦, ૦૦૦ નો ચેક પ્રાંત અધિકારી,સિહોર તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના વરીષ્ઠ અધિકારીઓ દ્વારા અર્પણ કરવા મા આવ્યો હતો. 
 ભારતીય સૈન્ય માં જોડવાનો ઉત્સાહ જળવાઈ રહે અને શહીદ મેહુલભાઈના પરિજનોને આર્થિક અગવડતા ન આવે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application