ત્રણ પૂર્વ કુલપતિ સહિત સંખ્યાબંધ અધ્યાપકોને ગેરકાયદેસર રીતે પગાર અને અન્ય ભથ્થા પેટે કરોડો રૂપિયાના ચુકવણા છેલ્લા કેટલાક વર્ષોથી થઈ રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અને સરકારની તિજોરીને નુકસાન કરે તેવા આ કૌભાંડમાં જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાના બદલે જાણે વિટલો વાળવાના મૂડમાં સમગ્ર તંત્ર હોય તેવી છાપ ઉપસી રહી છે.
દર મહિને રૂપિયા 50,000 થી રુ. 1,00,000 સુધીનો હપ્તો
જે અધ્યાપકોએ મળવાપાત્ર પગાર અને ભથ્થા કરતા વધુ આર્થિક લાભ લીધા હોય તેમની પાસેથી વ્યાજ સહિત આ રકમ વસૂલવાના બદલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું તંત્ર અત્યારે તો માત્ર મુદલ વસૂલવામાં જ કામગીરી કરી રહ્યું છે. અમુક અધ્યાપકોએ નાણા ભરવાનું ચાલુ કરી દીધું છે અને છેલ્લા થોડા દિવસોમાં જ રૂપિયા 75 લાખ આસપાસની આવક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તિજોરીમાં ઠલવાઈ ગઈ છે. હજુ આ પ્રવાહ ચાલુ છે પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે અમુક અધ્યાપકોએ પોતે એક સાથે આટલી મોટી રકમ ભરી શકે તેમ ન હોવાથી હપતા કરી દેવા માટે માંગણી કરી હતી અને તેમની આ માગણીનો સ્વીકાર કરીને દર મહિને રૂપિયા 50,000 થી રુ. 1,00,000 સુધીનો હપ્તો કરી દેવાયો હોવાનું જાણવા મળે છે.
આ તો સરાસર કૌભાંડ જ છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ અમુક અધિકારીઓ જણાવે છે કે આ તો સરાસર કૌભાંડ જ છે અને તેની વસુલાત વ્યાજ સાથે થવી જોઈએ. હપ્તા કરી દેવાની વાત પણ ખોટી છે. જે અધ્યાપક આવા નાણા ભરી શકે ન તેમ ન હોય તેમની સામે પોલીસ ફરિયાદ, મિલકત જપ્ત કરીને હરાજી દ્વારા નાણા વસૂલવા જેવી કડક કાર્યવાહી થવી જોઈએ. સાથો સાથ આવી રીતે ગેરકાયદેસર પગાર અને ભથ્થા મંજૂર કરનાર સિન્ડિકેટ સભ્યોની પણ જવાબદારી બનવી જ જોઈએ.
અધ્યાપકો ફટાફટ નાણા ભરી રહ્યા છે
નિવૃત્તિના આરે ઉભેલા અમુક અધ્યાપકો નોટિસ મળતાની સાથે જ નાણા ભરવાની લાઈનમાં ઊભા રહી ગયા છે. જેમની પાસે નાણાકીય સગવડ છે તેવા અધ્યાપકો ફટાફટ નાણા ભરી રહ્યા છે પરંતુ જેમની પાસે આવી સગવડ નથી તેવા અધ્યાપકો ઉધાર ઉછીના કરીને પણ ઝડપભેર નાણા ભરી રહ્યા છે અને જો આમ ન કરે તો તેમના નિવૃત્તિ પછીના લાભો અટકે તેમ હોવાથી ઉધાર વ્યાજે નાણાં લઈને પણ વસુલાત ભરપાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech