જેઇઈની પરીક્ષા માટે ગુજરાત સહિત દેશના ૯ લાખ વિધાર્થીઓએ ફોર્મ ભર્યા

  • November 30, 2023 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેઇઈ મેઈન માટે બે અરજી કરવામાં આવશે તો પ્રવેશ રદ થશે, ૯ લાખ વિધાર્થીઓએ કરી અરજી છે. દેશની આઈ આઈ ટી અને એન આઈ ટી માં નોંધણી માટેની અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં લગભગ નવ લાખ વિધાર્થીઓએ જે ઇ ઇ મેઈન જાન્યુઆરી સત્ર માટે અરજી કરી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ આ વખતે સ્પષ્ટ્ર સૂચના જારી કરી છે કે જે વિધાર્થીઓએ એક કરતા વધુ વખત અરજી કરી છે તેમની અરજીઓ રદ કરવામાં આવશે. ઘણા વિધાર્થીઓએ એક અરજી પૂર્ણ કરી નથી અને બીજી અરજી કરી છે. આવા વિધાર્થીઓની અરજી રદ કરવામાં આવશે.
જાન્યુઆરી સત્રની પરીક્ષા ૨૪ જાન્યુ થી ૧ ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાને લઈને કડક સૂચનાઓ આપવામાં આવી છે. એજન્સીએ કહ્યું કે કોઈપણ પરીક્ષા કેન્દ્ર પર સહેજ પણ ગેરરીતિ નોંધાશે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોએ નિયમોનું પાલન કરવાનું રહેશે. ઉપરાંત, ઉમેદવારોએ આપેલી સૂચનાઓનું પણ પાલન કરવાનું રહેશે. જેઇઇ મેઇનના પ્રથમ તબક્કા માટે રજીસ્ટ્રેશન શુક્રવાર સુધી છે. જે ઇ ઇ મેઈન નું પરિણામ ૧૨ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. ગયા વર્ષની જેમ આ વખતે પણ પરીક્ષા ૧૩ ભાષાઓમાં લેવામાં આવશે  અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુમાં લેવાશે,પાછલા વર્ષની પેપર પેટર્નમાં જે ઇઈ માં ૨૦૨૩ પેપર ૧ માં બે વિભાગ હશે. વિભાગ બીમાં દરેક વિષય માટે ૨૦ (એમસીકયુ) હશે, યારે વિભાગ બીમાં દરેક વિષય માટે ૧૦ (સંખ્યાત્મક પ્રશ્નો) હશે, જેમાંથી ૫ પ્રશ્નોનો પ્રયાસ કરવામાં આવશે. મુખ્ય પેપર ૨ ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવશે. ભાગ એમાં ગણિતને લગતા ૨૦ એમ સી કયું અને ૧૦ સંખ્યાત્મક પ્રશ્નો હશે, જેમાંથી પાંચના જવાબ આપવાના રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application