જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાં ગઇકાલેએક જૂનું કાચી માટીની ઈંટોનું બનેલ જર્જરીત મકાન ધરાશયી થયું હતું. મકાનના કાટમાળ હેઠળ છ જેટલા પરપ્રાંતિય મજૂરો દબાઈ જતા તેઓને સ્થાનિકોએ કાટમાળ હટાવી બહાર કાઢી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવારમાં મોકલી દીધા બાદ નગરપાલિકા તંત્ર પહોંચતા ઘોર બેદરકારી છતી થઈ હતી.
શહેરના ભોજાધાર વિસ્તારમાં પંદરેક દિવસ પૂર્વે એક જૂનું જર્જરીત કાચી માટીની ઈંટોનું બનેલ મકાન ધરાશયી થયું હતું. સદનસીબે કોઈને ઇજા પહોંચી ન હતી. આ મકાનને અડીને જ આવા બીજા બે મકાનો આવેલ છે અને તે મકાનો પણ ગમે ત્યારે ધરાશયી થશે તેવી સ્થાનિકોએ તત્કાલીન સમયે મીડિયા સમક્ષ દહેશત વ્યક્ત કરી હતી. અને આ દહેશત આજે સાચી પડી પંદર દિવસ પૂર્વે મકાન ધરાશયી થયેલ તે મકાનને અડીને જ આવેલ મકાન ધડામ દઈને ધરાશયી થયું. અને ચારેબાજુ ધોરબકોર દોડો દોડોનો થઈ પડ્યો હતો.
સ્થાનિક યુવાન તરત જ પહોંચીને જોતા જે મકાન ધરાશયી થયું તેમાં સાતથી આઠ જેટલા પરપ્રાંતિય મજૂરો ભાડે રહેતા તે કાટમાળ હેઠળ દબાઈ ગયેલ હતાં. સ્થાનિકોએ સરકારી તંત્રની રાહ જોયા વગર પલનો પણ વિલંબ કર્યા વગર તરત જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી. અને એક પછી એકને દબાઈ ગયેલ લોકોને બહાર કાઢવા લાગેલ પાંચને બહાર કાઢી લીધા અને હજુ કેટલા દબાયેલ છે તે કોઈ જણાતું ન હતું. અને જેને બહાર કાઢ્યા તે બોલી શકે તેવી હાલતમાં ન હતાં. જેથી સ્થાનિકોએ પાવડા કાચી ઈંટોનો કાટમાળ ધીમેધીમે હટાવતા તેની અંદરથી વધુ એક યુવાન જીવતો પણ ગંભીર હાલતમાં મળી આવ્યો. અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા બાદ નગરપાલિકા તંત્ર સ્થળ પર પહોંચ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech