અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, ત્રણ બાળકોના મોત, બેની શોધખોળ ચાલુ

  • March 15, 2025 11:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છના ભચાઉ તાલુકાના હિંગોરજા વાંઢ નજીક ધમડકા ગામે એક કરુણ ઘટના બની છે. અહીં પાંચ બાળકો કેનાલમાં ડૂબી ગયા હતા, જેમાંથી ત્રણ માસૂમોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય બે બાળકોની શોધખોળ હજી ચાલુ છે.


આ દુર્ઘટના ત્યારે બની જ્યારે માલધારી પરિવારના પાંચ બાળકો ભેંસો ચરાવવા માટે ગયા હતા. હિંગોરજા વાંઢ નજીક બપોરના સમયે ભેંસોને પાણી પીવડાવતી વખતે આ બાળકો પણ કેનાલમાં ન્હાવા પડ્યા હતા. અકસ્માતે પાંચેય બાળકો ડૂબી ગયા.


સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી. તળાવમાં તપાસ કરતાં તેમને ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા. તાત્કાલિક દુધઈ પોલીસને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા. હાલમાં અન્ય બે બાળકોની શોધખોળ ચાલુ છે.


અંજાર પ્રાંત અધિકારી એસ. જે. ચૌધરી પણ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application