આંધ્રપ્રદેશ સરકારે કહ્યું કે તે દરેક ગામમાં મંદિર બનાવશે. નાયબ મુખ્ય પ્રધાન કોટ્ટુ સત્યનારાયણે કહ્યું કે મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીની સૂચના પર, આ પહેલ હિંદુ ધર્મના રક્ષણ અને પ્રચાર માટે શરૂ કરવામાં આવી છે.સત્યનારાયણ, જે એન્ડોવમેન્ટ વિભાગના પણ પ્રભારી છે, તેમણે જણાવ્યું હતું કે, "નબળા વર્ગના વિસ્તારોમાં મોટા પાયે હિંદુ મંદિરો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે."
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના શ્રી વાણી ટ્રસ્ટે મંદિરોના નિર્માણ માટે દરેક મંદિરને 10 લાખ રૂપિયા ફાળવ્યા છે. રાજ્યમાં 1,330 મંદિરોનું નિર્માણ શરૂ કરવા ઉપરાંત અન્ય 1,465 મંદિરો પણ આ યાદીમાં ઉમેરાયા છે. એ જ રીતે, કેટલાક ધારાસભ્યોની વિનંતી પર, 200થી વધુ મંદિરો બનાવવામાં આવશે. સત્યનારાયણે કહ્યું કે બાકીના મંદિરોનું નિર્માણ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ સત્યનારાયણના જણાવ્યા અનુસાર, એન્ડોમેન્ટ વિભાગના નેજા હેઠળ 978 મંદિરોનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે, જ્યારે દરેક 25 મંદિરોનું કામ એક સહાયક એન્જિનિયરને સોંપવામાં આવ્યું છે.
કેટલા પૈસા આપ્યા?
કેટલાક મંદિરોના પુનર્નિર્માણ અને મંદિરોમાં ધાર્મિક વિધિઓ માટે ફાળવવામાં આવેલા 270 કરોડ રૂપિયામાંથી 238 કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે. તેવી જ રીતે, આ નાણાકીય વર્ષમાં મંદિર દીઠ રૂ. 5,000 ના દરે અનુષ્ઠાન (ધૂપ દીપ નૈવેદ્યમ) માટે ભંડોળ ફાળવવામાં આવેલા રૂ. 28 કરોડમાંથી રૂ. 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સત્યનારાયણે કહ્યું, "2019 માં, ધૂપ દીપ યોજના હેઠળ 1561 મંદિરોની નોંધણી કરવામાં આવી હતી, હવે તેમની સંખ્યા વધીને 5,000 થઈ ગઈ છે." તેમણે દાવો કર્યો કે આ સંદર્ભમાં ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમજ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારે વરસાદથી ઈન્ડિગોની ફ્લાઈટ ફસાઈ, કંપનીએ મુસાફરોને આપ્યો 100% રિફંડ ઓપ્શન
July 08, 2024 02:19 PMસંદેશખાલી પર મમતા સરકારને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
July 08, 2024 02:06 PMજામનગર શહેરમાં વ્યાજ વટાવની ફરીયાદમાં એક આરોપીની અટકાયત
July 08, 2024 01:48 PMહાલારમાં અષાઢી બીજની ભવ્યાતિભવ્ય ઉજવણી: ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમો
July 08, 2024 01:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech