કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં યૌન શોષણ, જમીન હડપ અને રાશન કૌભાંડમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. મમતા સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેને SC દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.
સંદેશખાલી સુપ્રીમ કોર્ટે CBI તપાસને પડકારતી મમતા બેનર્જી સરકારની અરજી ફગાવી કોલકાતા હાઈકોર્ટ સંદેશખાલી પર મમતા સરકારને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે કહ્યું- 'વ્યક્તિને બચાવવા...'
સુપ્રીમ કોર્ટે સોમવારે (8 જુલાઈ 2024) પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની અરજી ફગાવી દીધી હતી. જેમાં કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણ, જમીન પચાવી પાડવા અને રાશન કૌભાંડ સાથે જોડાયેલા તમામ મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.
કોલકાતા હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દેતા SCએ મમતા સરકારના વલણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શા માટે સરકાર વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરી રહી છે?
હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા
સંદેશખાલીમાં ટીએમસીના નિષ્કર્ષિત નેતા શાહજહાં શેખ પર યૌન ઉત્પીડન અને જમીન હડપવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે વિપક્ષે મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું. હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. મમતા બેનર્જીએ સંદેશખાલી કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપતા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
અગાઉ આ મામલે સુપ્રીમ કોર્ટમાં 29 એપ્રિલે સુનાવણી થઈ હતી. ત્યારે જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે રાજ્ય સરકાર વ્યક્તિને બચાવવા માટે અરજીકર્તા બનીને કેમ આવી? તેના પર મમતા સરકારના વકીલ જયદીપ ગુપ્તાએ કહ્યું હતું કે રાજ્ય સરકારની સતત કાર્યવાહી છતાં આ ટિપ્પણી આવી છે.
મમતા સરકાર વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ આ મામલામાં સુનાવણી મોકૂફ રાખવાની માગણી કરતા કહ્યું હતું કે આ અરજી કોઈ અન્ય કારણોસર દાખલ કરવામાં આવી છે. સોમવારે આયોજિત સુનાવણી દરમિયાન સિંઘવીએ કહ્યું માત્ર સંદેશખાલી જ નહીં, આ અરજી રાશન કૌભાંડ સાથે પણ સંબંધિત છે, જેમાં 43 FIR નોંધવામાં આવી છે. જો કે સુપ્રીમ કોર્ટની બેંચ તેમની દલીલ સાથે સહમત ન હતી અને અરજી ફગાવી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMમુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગતા, એક જ પરિવારના 7 લોકોના મોત
October 06, 2024 10:41 AMમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech