\
રાજ્યના નાણા વિભાગે રાજ્ય સરકારને લિક્વિડેશન હેઠળના સાત પીએસયુએસ(જાહેર ક્ષેત્રના ઉપક્રમો)ને ઝડપથી બંધ કરવાની ભલામણ કરી છે અને 30 ખોટમાં ચાલતા એકમોને પુનજીર્વિત કરવા અથવા લિક્વિડેશન અંગેની શક્યતા અંગે વહેલી તકે નિર્ણય લેવાની ભલામણ કરી છે. તાજેતરમાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ રજૂઆત કરવામાં આવી હતી.
ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ અને ગુજરાત એસેમ્બલીની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી જેવી એજન્સીઓએ પણ તાજેતરમાં રાજ્ય સરકારને સમાન ભલામણો કરી છે, જેમાં જણાવ્યું છે કે ખોટ કરતી પીએસયુએસ રાજ્યની નાણા પર બોજ બની રહી છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પીએસયુએસની સ્થિતિ અંગે રાજ્ય સરકારને વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. નાણા વિભાગે ભલામણ કરી છે કે સરકાર ખોટમાં ચાલી રહેલા પીએસયુએસને પુનજીર્વિત કરવા અથવા ફડચામાં લેવા માટે નક્કર કાર્યવાહી શરૂ કરે.
કુલ 99 રાજ્ય સાર્વજનિક ઉપક્રમોમાંથી સૌથી વધુ સાર્વજનિક ઉપક્રમો ધરાવતી ધરાવતી ટોચના પાંચ વિભાગો એનજીર્ અને પેટ્રોકેમિકલ્સ (24), ઉદ્યોગો અને ખાણ (23), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (10), શહેરી વિકાસ અને શહેરી આવાસ (8), અને કૃષિ અને સહકારી વિભાગો છે (5) છે.
સરકારને આપવામાં આવેલી પ્રેઝન્ટેશન મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં નફો કરતી પીએસયુની સંખ્યામાં વધારો થયો છે, જ્યારે ખોટ કરતી પીએસયુની સંખ્યા વધુ કે ઓછી સ્થિર રહી છે. સત્તાવાર માહિતી અનુસાર, 58 પીએસયુએસ 2020-21માં નફો કરી રહ્યા હતા, જે 2021-22માં વધીને 61 અને 2022-23માં 63 થઈ ગયા હતા. તેવી જ રીતે, ખોટ કરતી પીએસયુએસની સંખ્યા 2020-21માં 31 હતી અને 2021-22 અને 2022-23માં 30 પર સ્થિર રહી હતી. એસપીએસયૂએસનું સંયુક્ત ટર્નઓવર 2020-21માં રૂ. 1.35 લાખ કરોડથી વધીને 2022-23માં રૂ. 1.94 લાખ કરોડ થશે.ખોટ કરતી પીએસયૂએસ માંથી, 13 ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિમર્ણિને સમર્પિત છે, 3 સબસિડીવાળા દરે જાહેર સેવાઓ પૂરી પાડી રહી છે, 12 કાં તો લિક્વિડેશન હેઠળ છે, બંધ થઈ ગઈ છે અથવા અન્ય કંપ્નીઓ સાથે મર્જ થઈ ગઈ છે, અને બે અન્ય શ્રેણીમાં છે.ગુજરાત સરકારની ટોચની પાંચ નફો કરતી પીએસયૂએસ ગુજરાત એનજીર્ ટ્રાન્સમિશન કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ગેસ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપ્ની લિમિટેડ અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ છે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે નાણા વિભાગે ખાસ કરીને રાજ્યમાં કાર્યરત પીએસયૂએસના ખાતાઓને અંતિમ સ્વરૂપ આપવાની પણ ભલામણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech