ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ચાલુ મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરના તમામ એસટી ડિવિઝનને નવી બસોની ફાળવણી શરૂ કરવામાં આવનાર છે. ૧૦૦ એસી બસ સહિત કુલ ૨૦૬૩ નવી બસો આગામી દિવસોમાં આવશે.
વિશેષમાં નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આગામી સપ્તાહથી દર સપ્તાહે તબક્કાવાર ૨૦૦થી ૩૦૦ નવી બસ આવશે જેની જરૂરિયાત મુજબ વિવિધ ડિવિઝનને ફાળવણી કરવામાં આવશે.નિયત કિલોમીટર પૂર્ણ થઇ ગયા હોય તેવી તમામ ઓવરએજ બસો સેવામાંથી દૂર કરવામાં આવશે.
તદઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમમાં હાલ મોટા પાયે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ૩૦૦૦ ડ્રાઇવર, ૩૦૦૦ કંડકટર અને ૨૨૦૦ હેલ્પરની ભરતી કરવામાં આવનાર છે. કંડક્ટરોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ છે, ડ્રાઇવરોના ટેસ્ટ પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જ્યારે હેલ્પર્સની ટેસ્ટ આગામી જુલાઇ માસમાં લેવામાં આવનાર છે. આ ઉપરાંત પણ નિગમમાં ખાલી પડેલી અનેકવિધ જગ્યાઓ ઉપર ટૂંક સમયમાં ભરતી થનાર હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૨૦ હજારથી વધુ કેસરી ધજા તૈયાર કરવાની કામગીરી
June 05, 2025 03:12 PMબોખીરાના જનકપુરીમાં રહેતો યુવાન વ્હીસ્કીની ચાર બોટલ સાથે ઝડપાયો
June 05, 2025 03:11 PMજામનગરમાં સરકારી મીડીયમ ઇંગ્લીશ સ્કુલ બનશે ‘આશિર્વાદ’
June 05, 2025 03:10 PMબોખીરા-જ્યુબેલીની સરકારી સ્કૂલ પાસે આધેડ મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયુ
June 05, 2025 03:10 PMપોરબંદરમાં વૃધ્ધત્વની સમી સાંજના ઓટલાનું થયુ નવીનીકરણ
June 05, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech