જામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી

  • January 24, 2025 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી ત્રણ દિવસ સુધી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફરીથી ઠંડીમાં આવશે ચમકારો તેવી હવામાન ખાતાની આગાહી: જનજીવન પર થશે અસર


જામનગર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. ઠંડી વધવાની આગાહીથી લોકો પણ ચિંતામાં મુકાઇ ગયા છે, કારણ કે આ વર્ષે સતત ચાર-ચાર અઠવાડીયા સુધી એકધારી ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. આગામી ત્રણ દિવસ સુધી પવન પણ ફુંકાશે અને વાતાવરણમાં ટાઢોડુ રહેશે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ લઘુતમ તાપમાન 15.5 ડીગ્રી, મહત્તમ તાપમાન 26.5 ડીગ્રી, હવામાં ભેજ 59 ટકા, પવનની ગતિ 35 થી 40 કિ.મી.પ્રતિકલાક રહી હતી. ગઇકાલે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પવનની ઝડપ વધી હતી, ત્યારબાદ 40 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો. ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે. ઠંડીને કારણે જામનગરમાં કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને શિયાળુ પાક માટે ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીની અસર થઇ છે.


ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે અને જામનગર શહેરમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે. વેર્સ્ટન ડીસ્ટબન્સના કારણે ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. ગામડાઓમાં ખેતીકામ કરતા મજુરો તેમજ પશુ-પક્ષીઓને પણ ઠંડીની ભારે અસર પડી છે. ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે.


ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે,  જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application