ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત નીપજ્યા છે. જેમાં ત્રણ ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. ત્યારે શ્રીનગરમાં ચાલી રહેલી રામકથાને પાંચમાં દિવસે મોકુફ રાખવા મોરારિ બાપુએ જાહેરાત કરી છે, તેમજ મૃતકોના પરિવારો માટે 5 લાખની જાહેરાત કરી છે. ગુજરાતના સુરતના એક યુવક અને ભાવનગરના પિતા-પુત્રના મોત થયા છે. એમાં ભાવનગરના લોકો શ્રીનગરમાં ચાલતી મોરારી બાપુની કથામાં ગયામાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, મોરારી બાપુના જણાવ્યા મુજબ ભાવનગરના લોકો ફરવા આવ્યા હતા અને કથામાં એક બે દિવસ આવ્યા હોય શકે છે.
આતંકી હુમલા વિશે દુઃખ પ્રગટ કરતાં મોરારિ બાપુએ શ્રીનગરમાં ચાલતી રામકથામાં કહ્યું હતું કે, મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા તમામ શ્રોતાઓ વતી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું તથા જે વ્યક્તિઓ ઘાયલ થયાં છે તેઓ વહેલા સાજા થઇ જાય તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના.
કથા સાથે જોડાયેલા વ્યક્તિઓ સુરક્ષિત છે
મોરારી બાપુએ ઉમેર્યું હતું કે, કથા સાથે જોડાયેલા વ્યક્તિઓ સુરક્ષિત છે. હાલ, કોઇ પર્યટન હેતુ માટે ગયાં હોય અથવા પછીથી કથામાં સામેલ થનાર હોય તેમને કદાચ ક્ષતિ થઇ હોઇ શકે. આ ઘટના કથાના સ્થળેથી 100 કિમી દૂર ઘટી છે. અહીં સંપૂર્ણ સુરક્ષા છે, પરંતુ મનમાં પીડા છે. રામકથા સાથે જોડાયેલા હોય કે ન હોય. હું મૃતકોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું અને દિવંગત વ્યક્તિઓના પરિવારોને રૂ. 5 લાખ તુલસીપત્રરૂપે સહાયની જાહેરાત કરૂ છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMજામનગર ABVP દ્વારા કશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાનો વિરોધ કરાયો
April 23, 2025 07:16 PMપહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ
April 23, 2025 07:12 PMજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech