જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દેશ દુઃખી છે. સરકાર અને તપાસ એજન્સીઓ દિવસ રાત કામગીરી કરી રહી છે. તપાસ એજન્સીએ આતંકવાદીઓના બે સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહાના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને વીણી વીણીને ગોળબાર કર્યા આ આતંકવાદીઓ નજીકના પહાડી જંગલમાં સંતાઈ ગયા છે. તેમને પકડવા માટે સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શંકસ્પદ આતંકવાદીઓનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે
આ ઉપરાંત એજન્સીઓના સુત્રો દ્વારા એક ફોટોગ્રાફ પણ અપાયો છે. જેમાં ચાર આતંકીઓ હથિયારો સાથે ઉભેલા દેખાય છે. આ ચાર આતંકીઓ થોડા મહિના પહેલા કાશ્મીરમાં ઘુસ્યા હોવાનું ઈન્ટેલીજન્સ ઈનપૂટ હતું. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. સમગ્ર વિશ્વના નેતાઓ અને લોકો દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે.
TRFએ આ હુમલાની જવાબદારી સ્વીકારી
કેન્દ્રીય એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાનું એક પ્રોક્સી આતંકવાદી સંગઠન છે. જેની રચના 2019 માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી કરવામાં આવી હતી. આ આતંકવાદી સંગઠનની શરૂઆત એક ઓનલાઈન યુનિટ તરીકે થઈ હતી. પરંતુ તે ઝડપથી એક સંપૂર્ણ આતંકવાદી સંગઠન તરીકે વિકસ્યું. જેમાં તહરીક-એ-મિલ્લત ઇસ્લામિયા અને ગઝનવી હિંદ જેવા હાલના સંગઠનોના તત્વો પણ આ સંગઠનમાં જોડાઇ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMજામનગર ABVP દ્વારા કશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાનો વિરોધ કરાયો
April 23, 2025 07:16 PMપહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ
April 23, 2025 07:12 PMજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech