બસના મુસાફરોની જનજાગૃતિ માટે યોજાઇ વિશિષ્ટ રેલી

  • June 03, 2025 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બસ ડેપો ખાતે એસ.ટી. કર્મચારીઓએ રેલી દ્વારા પ્લાસ્ટિકથી થતા પ્રદુષણ વિશે મુસાફરોને માહિતગાર કર્યા હતા.
પોરબંદર બસ સ્ટેશન ખાતે પ્લાસ્ટિક પ્રદુષણ અંગે મુસાફરોમાં જાગૃતિ આવે તે હેતુસર પોરબંદર ડેપોના કર્મચારીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ,પોરબંદર સ્ટેન્ડ ઇન્ચાર્જ  એચ.એમ.રૂઘાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીમાં પ્લાસ્ટિક પ્રદુષણની ગંભીરતા દર્શાવતા વિવિધ પ્રકારના આકર્ષક બેનરો સાથે પોરબંદર ડેપોના કર્મચારીઓ બસ સ્ટેશનની તમામ જગ્યાએ ફરી વળી ઉપસ્થિત મુસાફર જનતાને પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદુષણ અંગે માહિતગાર કરવામાં આવેલ હતા તેમજ ડેપો મેનેજર પી.બી. મકવાણા દ્વારા મુસાફર જનતાને વડાપ્રધાનના પ્લાસ્ટિકમુક્ત ભારત અભિયાનમાં સહકાર આપવા અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application