વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં બનેલી દુર્ઘટના પર ગહેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ હૃદયદ્રાવક ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
વડાપ્રધાન મોદીએ એક નિવેદનમાં કહ્યું, "બેંગલુરુમાં બનેલી દુર્ઘટના ખરેખર હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારા વિચારો તે તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સાજા થાય."
બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિજય પરેડ પહેલાં સર્જાયેલી દુર્ઘટનામાં ગમગીની છવાઈ ગઈ છે. આ ઘટનામાં મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો હોવાના અહેવાલ છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પરિસ્થિતિનો તાગ મેળવવા અને ઘાયલોના ખબરઅંતર પૂછવા માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર RCBના વિજયની ઉજવણીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા હતા. ભીડ અનિયંત્રિત બનતા અને વ્યવસ્થાપનમાં કચાસને કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું અને કેટલાકના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી છે. તેમણે ઘાયલોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા માટે સૂચનાઓ આપી છે અને તપાસના આદેશ પણ આપ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત
June 06, 2025 03:26 PMભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ
June 06, 2025 03:24 PMનશો કરી ડમ્પરના પાછલા ટાયર પાસે સુઈ ગયેલો યુવાન ડમ્પર રિવર્સ આવતા ચગદાયો
June 06, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech