ખુશી માતમમાં ફેરવાઈ: RCBની જીતના જશ્નમાં નાસભાગ, 11ના મોત; CM સિદ્ધારમૈયાએ કહ્યું - "આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી"

  • June 04, 2025 08:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) દ્વારા IPL 2025 નો ખિતાબ જીત્યા બાદ બેંગલુરુમાં વિજયની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં 11 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 33 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.


​​​​​​​કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "જ્યારે RCB ટીમ વિધાનસભા પહોંચી, ત્યારે વિધાનસભાની બહાર એક લાખ લોકો એકઠા થયા હતા. વિધાનસભામાં ઉજવણી ચાલી રહી હતી, પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લગભગ 3 લાખ લોકો એકઠા થયા હતા. અમને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી, અને અમે તેના માટે તૈયાર નહોતા."

આ ઘટના બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ આપ્યા છે. ક્રિકેટની ઐતિહાસિક જીતની ખુશી આ દુર્ઘટનાને કારણે શોકમાં પરિવર્તિત થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application