શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે નિ:શુલ્ક પ્રવેશ માટે કાર્યવાહી શ‚

  • June 03, 2025 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના હનુમાનગુફા પોલીસચોકી નજીક આવેલ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સ્વજ્ઞાતિના વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તેથી બહારગામના વિદ્યાર્થીઓ વહેલીતકે પ્રવેશ માટેનું ફોર્મ મેળવી લે તેવી અપીલ થઇ છે.
શ્રી લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીઓ સુરેશભાઇ કોટેચા અને અનિલભાઇ કારીયાએ જણાવ્યુ છે કે માત્ર બહારગામ વસતા અને પોરબંદર શહેરની શાળા, કોલેજમાં ફૂલટાઇમ ધોરણ-૧૧થી કોલેજ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરતા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાનું નિ:શુલ્ક તથા આધુનિક સુવિધાઓથી  સજ્જ અદ્યતન લોહાણા વિદ્યાર્થીભવન પોરબંદરનું  ૨૦૨૫-૨૬ માટેનું પ્રથમ સત્ર જૂનના દ્વિતીય સપ્તાહમાં  શ‚ થનાર છે. 
જેમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક લોહાણા જ્ઞાતિના છાત્રોએ ફોર્મ તથા અન્ય વિગતો માટે સંસ્થાના કાર્યાલયનો સંપર્ક કરવાનો વ્યવસ્થાપકોએ અનુરોધ કરેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application