રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર ફર્નિચરના બિલ્ડિંગની અગાસી પર આગ ભભૂકી, ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ દોડી ગઈ

  • April 29, 2025 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના વિદ્યાનગર  મેઇન રોડ પર આવેલા એક ફર્નિચરના શો-રૂમની અગાસી પર આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા ધૂમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. તેમજ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. 


આગ પર કાબૂ મેળવાયો

પ્રાપ્ત વિગત મુજબ શહેરના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલા એક ફર્નિચરના શો-રૂમની અગાસી પર આગ લાગી હતી. આથી બિલ્ડિંગમાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, આ બનાવમાં કોઈ દુર્ઘટના ન સર્જાતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application