જોડિયામાં વીરદાદા જશરાજના ૯૬૭ માં શોર્ય દિનની ઉજવણી

  • January 23, 2025 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયા લોહાણા મહાજનવાડી ખાતે યજમાન ક્રિષ્નાબેન દ્વારા તા, ૨૨ ને બુધવારના રોજ જ્ઞાતિના વીરપુરૂષ શ્રી વીરદાદા જશરાજદાદાનો શહીદદીનની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે સંતશ્રી જલારામબાપાના મંદિર ખાતે સાંજે ૪ થી ૬ સંગીતમય સુંદરકાડના પાઠ, ધૂન સકીર્તન યોજાયેલ સાંજે ૬ : ૪૫ પૂજ્ય સંત શિરોમણીશ્રી જલારામબાપાની દીપમાળા સાથે મહાઆરતી કરવામાં આવેલ ત્યારબાદ સાંજે ૭ : ૦૦ ક્લાકે મહાપ્રસાદ જ્ઞાતિ ભોજન યોજાયેલ.


કાર્યક્રમના યજમાન ક્રિષ્નાબેનનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તૅમજ મિલનભાઈ તન્નાને નોટરીનું પદ મળતા તેવોનું સાલ ઓઢાડી જ્ઞાતિ દ્વારા સન્માન કરવામાં આવેલ તૅમજ કાર્યકમનું સંચાલન ભરતભાઈ ગણાત્રાએ કરેલ હતુ. સૌ જ્ઞાતિજનોએ પૂજ્ય જલારામબાપાના પાવન સાનિધ્યમાં મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ હતી જે જ્ઞાતિના પ્રમુખ પંકજભાઈ રાયમગીયા, નાનુભાઈ ચંદારાણા તથા મંત્રી ભરતભાઈ ગણાત્રાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application