માર્ગ અકસ્માતના પીડિતોને મદદ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ગુડ સમરિટન બની માનવજીવન બચાવવામાં મદદ કરનારને ઈનામ આપવાની યોજના વર્ષ ૨૦૨૧માં અમલીકૃત કરાઈ છે.
ગુડ સમરિટનને કાયદાનું રક્ષણ મળે છે.મોટર વાહન સંશોધન અધિનિયમ ૨૦૧૯ અંતર્ગત કલમ ૧૩૪- એ હેઠળ ગુડ સમરિટનને કાયદાકીય સુરક્ષા મળવાપાત્ર અકસ્માત સંદર્ભે ગુડ સમરિટન વિરુદ્ધ કોઈ નાગરિક કે ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં.પોલીસ અધિકારી અથવા હોસ્પિટલ દ્વારા ગુડ સમરિટનને પૂછપરછ માટે રોકી શકાશે નહીં.
ગુડ સમરિટન બની, માનવ જીવન બચાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.અકસ્માત બાદનો પહેલો કલાક ગોલ્ડન અવર તરીકે ઓળખાય, જેમાં વ્યક્તિને જરૂરી સારવાર મળે તો તેનો જીવ બચી શકે. અકસ્માત પીડિતને મદદ કરનાર એક ગુડ સમરિટનને વધુમાં વધુ રૂ.૨૫,૦૦૦ની સહાયની જોગવાઈ છે.એક ગુડ સમરિટનને એક વર્ષમાં મહત્તમ પાંચ વખત સહાય મળવાપાત્ર છે. વર્ષાંતે શ્રેષ્ઠ ૧૦ સમરિટનને રાષ્ટ્રીય સ્તરે રૂ.૧,૦૦,૦૦૦નો પુરસ્કાર મળવાપાત્ર છે.જિલ્લા સ્તરે કલેક્ટર દ્વારા ગુડ સમરિટન પુરસ્કાર છે.
ગુડ સમરિટન પુરસ્કાર માટેની પસંદગી પ્રક્રિયા એ છે કે અકસ્માત પીડિતોને મદદ કરે તેની જાણ પોલીસ અથવા ડોક્ટરને કરવાની રહેશે. ગોલ્ડન અવરમાં ઘાયલ વ્યક્તિને કઈ રીતે હોસ્પિટલ પહોંચાડી તેનું વર્ણન કરવાનું રહેશે.પોલીસનો લેટર જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને નિયત નમૂનામાં મોકલી અપાશે.જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને અપ્રેઝલ કમિટિ માસિક ધોરણે આવી દરખાસ્તોની સમીક્ષા કરશે.આખરી યાદીમાં પસંદ કરાયેલા ગુડ સમરિટનને રોકડ પુરસ્કાર-સન્માનપત્ર એનાયત કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માત થયાના એક કલાક ગોલ્ડન અવર દરમિયાન ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર અપાવનાર ભાવનગર શહેર-જિલ્લાના પાંચ ગુડ સમરીટન એ લોકોના જીવ બચાવવાનું કાર્ય કર્યું છે.જેમાં ડો. અજયસિંહ જાડેજા-ટ્રાફીક ટ્રેઈનર,હનુમંતસિંહ ચુડાસમા, જયદેવભાઈ ધરમશીભાઈ-ટ્રાફીક શાખા હેડ કોન્સ્ટેબલ, ભરતસિંહ નટવરસિંહ- ટ્રાફીક શાખા એ.એસ.આઈ અને ભૂપતભાઈ સાટીયા-સામાજીક કાર્યકર્તાને પ્રશંસાપત્ર્ આપી સન્માનિત્ પણ્ કરાયાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech