ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. એક જ દિવસમાં 60 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. કુલ 330 કેસ નોંધાયા છે, જેમાં 241 જેટલા કેસો હાલ એક્ટિવ છે. 88 જેટલા લોકો હાલ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો ખૂબ વધ્યા છે. બોપલ, ઘુમા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર સેટેલાઈટ, જોધપુર, સરખેજ, મક્તમપુરા, વાસણા,પાલડી, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, આશ્રમ રોડ રાણીપ, નવાવાડજ, ન્યૂ રાણીપ, જગતપુર, કેશવનગર વાડજ, વેજલપુર સહિતના વિસ્તારોમાં 190થી વધુ કેસો નોંધાયા છે.
સુરતમાં પણ 3 કેસ નોંધાયા છે. થાઈલેન્ડથી પરત આવેલી મહિલા પોઝિટિવ આવી છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાના કારણે કુલ 2 મહિલાનાં મોત થયાં છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026 અને કોરોનાને કારણે 39 મોત થયાં છે.
સુરત શહેરમાં ગતરોજ 3 દર્દીના કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જોકે અત્યારસુધી આવેલા એકપણ કેસમાં આ દર્દીઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓને તેના સંક્રમણની કોઈ અસર જોવા ન મળતાં તંત્રએ મોટો હાશકારો અનુભવ્યો છે.
દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા 4026 પર પહોંચી ગઈ છે. આમાંથી 50 ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે. કેરળમાં સૌથી વધુ 1416 એક્ટિવ કેસ છે. એ જ સમયે મહારાષ્ટ્રમાંથી 494 કેસ નોંધાયા છે. અત્યારસુધીમાં દેશભરમાં 2700 દર્દી સ્વસ્થ પણ થયા છે.
અત્યારસુધીમાં કોરોનાને કારણે 39 મૃત્યુ થયાં છે, જેમાંથી છેલ્લા 4 દિવસમાં 31 લોકોનાં મોત થયાં છે. સોમવારે મહારાષ્ટ્રમાં 70 વર્ષીય અને 73 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. રાજ્યમાં સૌથી વધુ 10 મૃત્યુ થયાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 2 મહિલાનાં મોત થયાં છે. 24 કલાકમાં કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળમાં 1-1 મૃત્યુ થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech