ગોઢાણિયા સંકુલમાં ૧૫ દિવસના યોગ સમર કેમ્પનું થયું સમાપન

  • June 03, 2025 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં બાળકો માટેના યોગ સમર કેમ્પનું સમાપન થયું છે ૧૫ દિવસ સુધી ૧૨૦ થી વધુ બાળકોએ તેનો લાભ લીધો છે
પોરબંદરની ડો. વી. આર ગોઢાણીયાં મહિલા કોલેજ ખાતે ગાંઘીનગર રાજ્ય યોગ્ બોર્ડ દ્વારા બાળકો માટેના પંદર દિવસીય સમર કેમ્પ નું આયોજન કરવામા આવેલ હતુ જેમાં ૧૨૨ જેટલા બાળકો ઉત્સાહ ભર જોડાયા હતાં. ગૂજરાત યોગ બોર્ડ દ્વારા મેદમુક્ત ગૂજરાત અભિયાન અંતર્ગત રાજ્ય ભરમાં જુદા જુદા સ્થળઓએ બાળકો માટે નિશુલ્ક આયોજન કરવા માં આવેલ હતું તેના ભાગરૂપે બાળકો નો માનસિક,શારીરિક, બૌદ્ધિક, સાવેગિક, વિકાસ થાય અને તેમની છુપાયેલી સુષુપ્ત ક્ષમતા ને પ્લેટ ફોર્મ મળીરહે તેવા ઉમદા હેતુસર આ બાળ સમર કેમ્પ નું આયોજન કરવામા આવેલ હતું 
પોરબંદર ની છેલ્લા ત્રણ દાયકાઓથી શિક્ષણ, સંસ્કાર અને શિસ્ત નાં શિક્ષણ નાં ઘડતરમા અગ્રેસર માલદેવ જી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સંચાલિત ડો વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયા મહિલા કોલેજ ના ભરત મુનિ રંગ મંચ ખાતે રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે પંદર દિવસીય સમર કેમ્પ માં ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ ડો કેતનભાઈ શાહ, જિલ્લા કોરડીનેટર કેતન ભાઈ કોટીયા ના નેતૃત્વમાં અને જિલ્લા કોચ હાર્દિક ભાઈ તન્ના,યોગ કોચ રાજેશભાઈ કક્કડ, શિલ્પાબેન અપારનાથી, ડો.આર.ગોઢાણીયા યોગા કોલેજના કોરડીનેટર જીવાભાઈ ખૂંટી ના માર્ગદર્શનમાં આયોજન કરવામા આવેલ હતુ.  
 આ સમાપન કાર્યક્રમ માં પોરબંદર નાં સમર કેમ્પ નાં સંચાલક યોગ્ કોચ હાર્દિક ભાઇ તન્ના , રાજેશભાઈ કક્કડ, શિલ્પાબેન અપારનાથી, એ સમર કેમ્પ ની વિગતો આપતાં જણાવ્યું હતું કે પોરબદર નાં આ સમર કેમ્પમાં ૧૨૨ જેટલા બાળકો ઉત્સાહ ભર જોડાયા છે અને પંદર દિવસીય આ સમર કેમ્પ દરરોજ સવારે બે કલાક બાળકોને દરરોજ સવારે સાત્વિક પૌષ્ટિક ખોરાક આપવામાં આવેલ છે આ કેમ્પમાં બાળકો ને તજજ્ઞો દ્વારા સરળ શૈલી મા પ્રશિક્ષણ આપવામાં નું આયોજન કરવામાં આવેલ હતું અને આ બાળકો સાથે વાલી માતા પિતા ની હાજરી પ્રેરક રહ્યી હતી તેમણે સમાપન સમારોહ માં ઉપસ્થિત મહાનુભાવો આવકાર્યા હતા
 આ પ્રસંગે પોરબંદર ની ડો.વી.આર.ગોઢાણીયા યોગા કોલેજ નાં કોઓર્ડિનેટર જીવા ભાઇ ખુંટી એ સોમનાથ વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજમાં ધોરણ ૧૨ પાસ કોઇ પણ ઉમર નાં નોકરી કરતાં કે નોકરી ન કરતાં એક વર્ષીય ડિપ્લોમા સવારે બે કલાક ચાલતા યોગા અભ્યાસ ક્રમ મા ભાઇઓ બહેનો પ્રવેશ મેળવી શકે છે. આ સર્ટિફિકેટ મેળવીને આ સંસ્થાના વિદ્યાર્થીઓ દેશ વિદેશ માં આત્મ નર્ભર થઈ સારી રોજગારી મેળવી રહ્યા છે જેનો પ્રવેશ આગામી જુલાઈ મા મેળવી શકાશે તેમણે યોગ અભ્યાસ માં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે તેમણે ઉપસ્થિત વાલીઓને યોગા અભ્યાસ મા જોડાવા આહવાન કર્યુ હતું.
 આ સમાપન કાર્યકમ માં બાળકોને દાતાઓ દ્વારા શૈક્ષણિક કીટ નું વિતરણ કરતા ટ્રસ્ટ નાં પ્રમુખ. જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયા એ ઉદબોધન કરતાં જણાવ્યું હતુ કે. બાળકો નો સ્વાભાવ પ્રવૃર્તિ શીલ હોય. પ્રવુતિ થકી શિક્ષણ બોજીલ બનતું નથી બાળકો ને શિક્ષણ નો બોજ ન લાગે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિસંદર્ભેભાર વગરના ભણતર સાથે વેકેશન ના ફુરસદ નો સમય રચનાત્મક પોતાના વ્યક્તિત્વ ના વિકાસ માટે રાજ્ય બોર્ડ ના કાર્યક્રમ ને આવકારી ને આ સમર કેમ્પ અસરકારક રહ્યો તેનો આનંદ વ્યક્ત કરી બાળકોના વાલીઓ ને અભિનંદન આપ્યા હતા
આ પ્રસંગે ટ્રષ્ટિ અને દાતા જયશ્રી બેન ગોઢાણીયા એ મેદ સ્વિતા મુક્ત ગૂજરાત અભિયાન ને અનુલક્ષીનેપણ સમર કેન્પ ખૂબ મહત્વનો ગણાવી બાળકો સવારે વહેલા ઉઠી નિયમિત પાંચ દસ મિનિટ ધ્યાન, માં બેસે તો યાદ શક્તિ માં વધારો થાય છે અને અભ્યાસ માં એકા ગ્રતા આવે છે 
 ડો વી. આર. ગોઢાણીયા બી. એડ કોલેજમાં ડાયરેક્ટર અને કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા એ જણાવ્યું હતુ કે, બાળકોનાસર્વાંગી વ્યક્તિત્વ ના વિકાસ માં હળવા પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, ધ્યાન, વ્યાયામ શાંતિ પાઠસ્મૃતિ સતેજ કરવાઅને સ્વાસ્થ્ય માટે યોગ શિક્ષણ ને બાળકો ની પ્રગતિ નો આધાર સ્થભ ગણાવેલ હતો
 આ પંદર દિવસીય બાળકોના સમર કેમ્પમાં તજજ્ઞો યોગ્ કોચ સર્વ હર્ષાબેન દાસા, રાજેશ ભાઇ કક્કડ, ખીમાભાઇ મારું,ગોરધનભાઈ ચાવડા શિલ્પા બેન અપારનાથી, જીતુભાઈ મદલાની,પૂજાબેન ચાવડા, યોગ ટ્રેનર રામભાઇ વિશાણા, અશોકભાઈ કૃષ્ણકાન્ત પંડીત , સહીત નાં યોગ્ કોચ દ્વારા બાળકો ને પ્રાણાયમ આસનો ઘ્યાન અને વિવિધ બાલ રમતો નું પ્રશિક્ષણ આપી સજજ કરવા બદલ અભિનંદન આપ્યા હતા
વિવિધ દાતાઓ દ્વારા પ્રોત્સાહન મળતા દરેક બાળકોને ઈ -સર્ટિફિકેટ સાથે મહાનુભાવો ના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવા માં આવ્યા હતા આ સમાપન કાર્યક્રમ માં સંસ્થા ના ટ્રસ્ટ અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી ,બાળકો તેના વાલી, માતા, પિતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સંસ્થા ના ટ્રસ્ટીઓ માં અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતભાઈ ઓડેદરા, શાંતાબેન, ભરત ભાઈ વિશાણા,સમર કેમ્પ નાના બાળકો ને આશીર્વાદ પાઠવેલા હતા. સમગ્ર કાર્યક્રમ સંચાલન ડો.વી.આર.ગોઢાણીયા યોગ કોલેજ ના કો. ઓડીનેટર જીવમવભાઈ ખુંટી એ તમામ નો ખુબ ખુબ આભાર માનેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application