શાપરમાં રાત્રીના અકસ્માતની ઘટના બની હતી.જેમાં ત્રિપલ સવારીમાં પૂરપાટ ઝડપે નીકળેલા બાઇકે સામેથી આવી રહેલા બાઇકને ઠોકરે લેતા આ અકસ્માતમાં મરાઠી યુવાનનું મોત થયું હતું.જયારે અન્ય ત્રણને ઇજા પહોંચી હતી.આ અંગે મૃતકની પત્નીની ફરિયાદ પરથી પોલીસે ત્રિપલ સવારી બાઇકમાં ધસી આવેલા બાઇક ચાલક સામે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શાપરમાં કર્મભૂમી ઇન્ડસ્ટ્રીઝ એરીયા કેપીટલ કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ પાંચોરા જી.જલગાવ મહારાષ્ટ્ર) ના વતની દીપકાભાઇ અભિમાનભાઇ પાટીલ(ઉ.વ ૪૩) નામનો મરાઠી યુવાન રાત્રીના બાઇક નં. જીજે ૩ જે.ડી ૬૮૫૨ લઇ શાપર પાટિયેથી ઘરે આવતો હતો ત્યારે ત્રિપલ સવારીમાં ઘસી આવેલા બાઇક નં.જીજે ૩ સીએન ૩૭૮૭ ના ચાલકે પોતાનો કાબુ ગુમાવી યુવાનના બાઇકને ટક્કર મારી પોતે પણ રોડ પર ફંગોળયા હતાં.અકસ્માતમાં આ ચારેયને ઇજા પહોંચી હોય જેથી તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
મરાઠી યુવાન દીપકભાઇ પાટીલને માથાનાભાગે ગંભીર ઇજા પહોચી હોય અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.ઇજાગ્રસ્તોમાં અજય(ઉ.વ ૩૦), જગા અભીરામભાઇ(ઉ.વ ૩૫) સુશાંત પ્રધાન (ઉ.વ ૪૦) (રહે બંને શીવા કારખાનું શાપ્રર વેરાવળ) આ બંને અજયના બાઇકમાં બેસી શાપરના રસ્તે પડવલા ફાટક તરફ જતા હતા દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી.
અકસ્માતમાં મોતને ભેટનાર મરાઠી યુવાન દીપકભાઇ પાટીલ અહીં શાપરમાં રહી કારખનામાં કામ કરતા હતાં.તેમને સંતાનમાં પુત્રી નીકીતા(ઉ.વ ૧૮) અને દીપાલી(ઉ.વ ૧૦) છે.બનાવ અંગે મૃતકની પત્ની કવિતાબેન દીપકભાઇ પાટીલ(ઉ.વ ૪૦) ની ફરિયાદ પરથી શાપર વેરાવળ પોલીસે ત્રિપલ સવારીમાં ઘસી આવેલા બાઇક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech